વિદ્યાનગરમાં કાર સળગાવી દેનાર મુખ્ય આરોપીનું પોલીસે રિ-ક્ધસ્ટ્રક્શન કરાવ્યું

  • May 23, 2025 04:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના વિદ્યાનગર વિસ્તારમાં ત્રણ દિવસ અગાઉ એક વેપારીને નજીવી બાબતે મારમારી, ત્રણ જેટલા શખ્સોએ ત્રણ કારને આગ ચાંપી દિધી હતી જે મામલે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કર્યા બાદ બે આરોપીને ટેબલ જામીન આપી દેવામાં આવ્યા હતા અને મુખ્ય આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિ-ક્ધસ્ટ્રક્શન કરાવાયું હતું અને આરોપીને બે હાથ જોડી માંફી માંગતા રહીશોમાં ભય દુર થયો હતો.
વિદ્યાનગર અનંતવાડી વિસ્તારમાં ત્રણેક જેટલા શખ્સોએ નશીલા પદાર્થનું સેવન કરી સોસયટીમાં ગાળા બોલતા હતા જે મામલે વેપારીએ ટપારતા ત્રણેય શખ્સોએ વેપારીને ઢોરમાર માલીની હતો અને મોડી રાત્રીના ત્રણ જેટલી મોંઘી કારને સળગાવી દઇ રહીશોમાં ભારે ભય ફેલાવ્યો હતો. જે મામલે નિલમબાગ પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી અને બે આરોપીને ટેબલ જામીન આપી દેવામાં આવ્યા હતા. 
દરમ્યાન તબીબની કારને આગ ચાંપી દેવાની ઘટનાના  મુખ્ય આરોપી લક્ષ્મણ ઉર્ફે લવલી હિમંતભાઈ વાઘેલાને ઘટના સ્થળે લઈ જઈ. મસમોટા પોલીસ કાફલા સાથે રિ-ક્ધસ્ટ્રક્શન કરાવાયું હતું અને વેપારી તેમજ ત્યાં રહેતા રહીશોની આરોપી પાસે માંફી મંગાવતા રહીશોમાં ભયનું વાતાવરણ દુર થયું હતું. આરોપીને ઘટના સ્થળે લાવવામાં આવતા લોકોનો ટોળા જોવા મળ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application