આગામી વિજયાદશમીથી યોજનાર પંચપરિવર્તન કાર્યક્રમ અંગે માહિતી પૂરી પાડવામાં આવી
આ પત્રકાર મિલન કાર્યક્રમમાં વિભાગ કાર્યવાહ નિકુંજ ભાઈ ખાંટ તથા રાજકોટથી આવેલ પ્રાંત પ્રચાર ટોળી સદસ્ય તુષાર ભાઈ પંડ્યા દ્વારા સંઘ શતાબ્દી વર્ષ આયોજન અંગે પત્રકારોને માહિતગાર કરવામાં આવ્યા હતા અને પત્રકારોના પ્રશ્નોના વિસ્તૃત જવાબો આપ્યા હતા.પંચપરિવર્તન ના મુખ્ય મુદા ઓની વાત કરીએ તો...
૧, એમાં એક તો સમરસતાની વાત છે, આપણા સમાજમાં પ્રેમ ઉત્પન્ન થાય. વિવિધ પ્રકારનો સમાજ છે, વિવિધ અવસ્થામાં છે. વિવિધ ભૌગોલિક ક્ષેત્રોમાં છે, સમસ્યાઓ પણ છે. એક નિયમ તમારા માટે બન્યો છે એ મારા માટે પણ યોગ્ય જ હશે એવું નથી. આટલો મોટો દેશ છે, તેમાંથી જો રસ્તો કાઢવાનો હોય તો જે પણ પ્રાવધાન કરવાં પડશે.
એ પ્રાવધાન મનથી કરાશે તો સુરક્ષિત રહીશું અને પ્રેમ વધશે. સામાજિક સમરસતાનો વ્યવહાર કરવાનો છે. તેમાં સામાજિક સમરસતાનો પ્રચાર અભિપ્રેત નથી. પ્રત્યક્ષ સમાજની બહાર જેટલા પ્રકારો માનવામાં આવે છે, અમે તો તેને એક માનીએ છીએ, એ તમામ પ્રકારોના મારા મિત્રો હોવા જોઇએ, મારા કુટુંબના મિત્રો હોવા જોઇએ. જ્યાં આપણો પ્રભાવ છે ત્યાં મંદિર, પાણી, સ્મશાન, એક હોય, આ પ્રારંભ છે, તેને આગળ વધારતા રહેવાનું છે.
૨, એવી જ રીતે કુટુંબપ્રબોધન છે. સંસારને રાહત દેનારી જે વાતો છે, જે આવશ્યક પરંપરાગત સંસ્કારોમાંથી આવે છે, આપણી કુળ-રીતિમાં છે અને દેશની રીતિ-નીતિમાં પણ છે, તેના પર બેસીને ચર્ચા કરવી તથા તેના પર સહમતિ સાધીને પરિવારના આચરણમાં લાવવી એ કુટુંબ પ્રબોધન છે.
૩, પર્યાવરણ માટે તો આંદોલન સહિત ઘણી બધી વાતો ચાલે છે, પરંતુ વ્યક્તિ પોતાના ઘરમાં પાણીનો બગાડ થાય છે. તેની ચિંતા કરતો નથી. પહેલાં એ કરો. વૃક્ષો વાવો, પ્લાસ્ટિક હટાવો, પાણી બચાવો. આવું કરવાથી સમજ વિકસિત થાય છે અને એ વિચારવા લાગે છે.
૪. એવું જ સ્વ'ના આધાર પર કરો. પોતાના સ્વ'ના આધાર પર વ્યવહાર કરવો જોઈએ. આપણા સૌનો જે રાષ્ટ્રીય સ્વ' છે એના આધાર પર ચાલો. પોતાના ઘરમાં ભાષા, ભૂષા, ભોજન, ભજન, ભ્રમણ, એ આપણાં હોવાં જોઈએ. ઘરના ઉંબરાની બહાર પરિસ્થિતિ અનુસાર કરવું પડે છે. ઘરમાં તો આપણે છીએ, સ્વ' રહેશે તો તેના કારણે સંસ્કાર પણ બચશે. દેશને સ્વનિર્ભર થવું હશે તો આપણે બને ત્યાં સુધી દેશની વસ્તુઓથી કામ ચલાવીએ. આની આદત રાખીએ. એનો અર્થ એ નથી કે, આંતરરાષ્ટ્રીય વેપાર બંધ કરી દો. એનું એક સંતુલન છે. મારું ચાલી શકતું હશે તો તેને ચલાવીશ. દેશની આવશ્યકતા છે, કોઈ જીવન આવશ્યક કામ છે, તો બહારથી લાવવું પડે તો લાવો. પણ આપણી શરતો પર કોઈના દબાવમાં નહીં. આ બધી વાતો થશે સ્વનું આચરણ શક્ય બનશે.
૫, કાયદો, સંવિધાન, સામાજિક ભદ્રતાનું પાલન.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech