ખંભાળિયા આઈ.ટી.આઈ ખાતે તા.૦૭ મે,૨૦૨૫ના રોજ ભરતી મેળો યોજાશે

  • May 06, 2025 05:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દેવભૂમિ દ્વારકા દ્વારા તા.૦૭-૦૫-૨૦૨૫ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે આઈ.ટી.આઈ., ખંભાળિયા ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છુ વચ્ચે સેતુરૂપ ઔધોગિક ભરતી મેળો યોજાશે. 
​​​​​​​

આ ઔધોગિક ભરતીમાં ખાનગી કંપનીના નોકરી દાતાઓને ખાલી જગ્યાઓ માટે માનવ બળની જરૂરિયાત હોય, જે અંતર્ગત ઈચ્છા ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉમેદવારોએ સ્વખર્ચે હાજર રહેવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા જણાવાયુ છે. જોબફેરમાં જુદી-જુદી કંપનીઓના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે અને આ માટે એચ.એસ.સી., બી.કોમ, બી.એ., બી.બી.એ. તથા એસ.એસ.સી જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો માટે બ્યુટિશિયન, હેર ડ્રેસર, સ્ટોર મેનેજર, ફ્લોર મેનેજર, કાઉન્સેલર, કસ્ટમર કેસ, કન્ટેન્ટ રાઇટર જેવી જગ્યાઓ પર ઉમેદવારો માટે જોબફેરનું આયોજન કરવામાં આવ્યુ છે.

આ એક ઓપન જોબફેર હોય, કોલ લેટર ન મળેલ હોય તેવા અથવા રોજગાર કચેરીમાં નામ નોંધણી ન કરાવેલ હોય તેવા તેમજ પી.એમ. ઈન્ટર્નશીપ યોજનામાં માટે રજીસ્ટ્રેશન કરવા ઈચ્છુક ઉમેદવારો પણ સ્વખર્ચે આ જોબફેમાં હાજર રહી શકાશે અને પી.એમ. ઈન્ટર્નશીપ યોજનામાં રજિસ્ટ્રેશન કરાવી શકશે તેમ જિલ્લા રોજગાર વિનિમય કચેરીની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application