આર્યસમાજ-જામનગર અંતર્ગત આર્ય વિદ્યાસભા સંચાલિત શ્રીમદ દયાનંદ કન્યા વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક વિભાગના મદદનીશ શિક્ષિકા બહેન મીરાબેન બાગુલનો વય મર્યાદાને કારણે નિવૃત વિદાય સમારંભ, તેમજ અન્ય શાળામાં બદલી થતા રીશાબેન પોપટ અને દક્ષાબેન સંતોકીનો શુભેચ્છા સમારંભ યોજાયેલ હતો.
મીરાબેન બાગુલને આર્યસમાજ – જામનગરના પ્રમુખ દીપકભાઈ ઠક્કર, માનદ્દમંત્રી નરેન્દ્રભાઈ મહેતા દ્વારા સન્માનપત્રથી સન્માન કરવામાં આવેલ હતું, અને શ્રીમદ દયાનંદ કન્યા વિદ્યાલય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યા પ્રફુલ્લાબેન રૂપડીયા, પ્રાથમિક વિભાગના આચાર્યા સંગીતાબેન મોતીવરસ દ્વારા સ્મૃતિચિહનથી સન્માન કરવામાં આવેલ હતું. રીશાબેન પોપટ અને દક્ષાબેન સંતોકીને સ્મૃતિચિહ્ન થી સન્માન કરવામાં આવ્યું હતું.
આ તકે દીપકભાઈ ઠક્કર, નરેન્દ્રભાઈ મહેતા, પ્રફુલ્લાબેન રૂપડીયા, નીપાબેન મકવાણા, અરૂણાબેન ધોકીયા, તેમજ વિદ્યાર્થીની બહેનો દ્વારા મીરાબેન બાગુલ, રીશાબેન પોપટ તેમજ દક્ષાબેન સંતોકીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. મીરાબેન બાગુલએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલયના મદદનીશ શિક્ષિકા મિન્ટુબેન ચોવટીયાએ કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપોરબંદરમાં શ્રી તિપતિ વેંકટેશ ભગવાનના બ્રહ્મઉત્સવની ઉજવણીનો થયો શુભારંભ
May 23, 2025 04:08 PMકમલાબાગની લસરપટ્ટી કોઇનો ભોગ લે તે પહેલા મહાનગરપાલિકાનું તંત્ર જાગે
May 23, 2025 04:07 PMનીલમબાગ અને ઘોઘારોડ પોલીસમાં નોંધાયેલા ચોરીના ગુનાનો આરોપી ત્રણ વર્ષે ઝડપાયો
May 23, 2025 04:07 PMપોરબંદરની સૌરાષ્ટ્ર કેમિકલ્સ કંપની દ્વારા યોજાયો સેમિનાર
May 23, 2025 04:06 PMબોખીરાની આવાસ યોજનામાં સી.સી.ટી.વી. કેમેરાની સુવિધા ઉપલબ્ધ કરાવવી ખૂબ જરી
May 23, 2025 04:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech