પોરબંદરમાં શ્રી તિપતિ વેંકટેશ ભગવાનના બ્રહ્મઉત્સવની ઉજવણીનો શુભારંભ થયો છે અને તે અંતર્ગત પાંચ દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોાજઇ રહ્યા હોવાથી ધાર્મિકજનોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવાયુ છે.
શ્રીમદ્ ભગવદ્ ભગવતા આચાર્ય જ.ગુ. રા. સ્વામિશ્રી બદ્રીનાથજી વનમાળીજી પરાયણ શ્રી વૈષ્ણવ સહકુટુંબ સમસ્ત પરિવાર મંગલાશાસનપૂર્વક શ્રી વેકંટેશ ભગવાનનો બ્રહ્મઉત્સવ પ્રતિવર્ષની પરંપરા મુજબ તા. ૨૧-૫-૨૦૨૫ તા. ૨૫-૫-૨૦૨૫ રવિવાર સુધી શ્રી તિપતિ બાલાજી મંદિર સામે જ્યુબેલી પાણી ટાંકાવાળા ચોકમાં, જ્યુબેલી-બોખીરા ખાતે આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં અનેકવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.
બુધવારે ધ્વજારોહણ તેમજ કળશ સ્થાપના, ગુરુવારે ભજનકીર્તન સવારે ૯ કલાકે, જ્યુબેલી નગરયાત્રા યોજાઇ હતી. આજે શુક્રવારે ધુનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. અભિષેક અને વિશેષ ભોગ યોજાયા હતા. જ્યુબેલીની નગરયાત્રામાં પોરબંદર નગરપાલિકાના પૂર્વપ્રમુખ અને હાલના જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીએ પણ ખાસ હાજરી આપી હતી.
આગામી દ્વિ દિવસીય આયોજન
તા. ૨૪-૫ ને શનિવારે યજ્ઞ તથા ઝુલાના દર્શન સવારે ૧૦ વાગ્યે યોજાશે અને તા. ૨૫-૫ રવિવારે સવારે ૧૦ વાગ્યે શાંતિ ઉત્સવ તથા શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન બપોરે ૪:૩૦ કલાકે કરવામાં આવ્યુ છે.
તમામ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા આયોજક શ્રી તિપતિ બાલાજી મંદિર મહિલા સત્સંગ મંડળ, શિવકૃપા મિત્રમંડળ, શ્રી રામદેવપીર દુવારા મિત્રમંડળ તથા જ્યુબેલી બોખીરાના સમસ્ત ભકતગણે નિમંત્રણ પાઠવ્યુ છે.
વધુ માહિતી માટે જ.ગુ.રા. સ્વામિશ્રી બદ્રિનાથજી વનમાળીજીના મો. ૭૦૦૪૯ ૬૪૩, જેઠાભાઇ ઓડેદરાના મો. ૮૧૪૧૭ ૨૫૦૫૦, વજશીભાઇ ઓેદરાના મો. ૯૯૭૪૪ ૪૪૪૦૨, મયુરભાઇ જોગીયાના મો. ૯૭૩૭૭ ૯૪૧૦૮, રમાબેન કિરીટભાઇ નિમાવતના મો. ૮૮૪૯૪ ૪૨૫૨૯ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો
May 23, 2025 06:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech