જામનગરમાં રીક્ષાચાલક વ્યાજખોરની ચુંગાલમાં ફસાયો

  • May 14, 2025 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૫,૦૦૦ ના ૩૦ ટકા લેખે ૨૦,૦૦૦ રાક્ષસી વ્યાજ વસુલી પછી મારી નાંખવાની ધમકી આપી


જામનગરના સાધના કોલોની વિસ્તારમાં રહેતો અને રીક્ષા ડ્રાઇવિંગ કરતો જીગ્નેશ હરિભાઈ દસાડિયા નામનો રીક્ષા ચાલક જામનગરના નાનકપુરી વિસ્તારમાં રહેતા મોહિત સુભાષભાઈ નંદા નામનો શખ્સ જંગલમાં ફસાયો છે, અને તેણે વ્યાજખોર સામે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી જીગ્નેશ દસડીયાએ આરોપી મોહિત સુભાષભાઈ નંદા પાસેથી માસિક ૩૦ ના વ્યાજે લીધા હતા, અને તેની સિક્યુરિટીમાં બે ચેક લખાવી લીધા હતા, ઉપરોક્ત રકમનું રાક્ષસી વ્યાજ ગણીને ૨૦ હજાર રૂપિયા ચૂકવી દીધા છતાં આરોપી દ્વારા વધુ મુદ્દલાને વ્યાજની રકમની માંગણી ના ચેક રિટર્ન કરાવી લઇ ફરિયાદ નોંધાવી હતી. જે સમગ્ર બનાવના અનુસંધાને સીટી એ. ડિવિઝન પોલીસે રીક્ષા ચાલક જીગ્નેશ ની ફરિયાદના આધારે મોહિતના સામે ગેરકાયદે નાણા દેવદાર સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવાઇ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application