સલાયા લોહાણા મહાજનના આયોજિત પૂર્વ પ્રમુખના ધર્મપત્નીએ દિપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાવ્યો
સલાયા લોહાણા મહાજન દ્વારા ઘણા વર્ષોથી ચૈત્રી નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. જેમાં ફક્ત બહેનો દ્વારા માતાજીના ગરબા અને રાસ કરવામાં આવે છે. નવરાત્રીના પ્રથમ દિવસે સલાયા લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ સ્વ. દામોદરભાઈ પોપટલાલ કાનાણીના ધર્મપત્ની વિજયાબેનના હસ્તે દીપ પ્રાગટ્ય કરી વિધિવત રીતે ગરબાની શરૂઆત કરવામાં આવી હતી.
આ સમયે સલાયા લોહાણા મહાજનના હાલના વર્તમાન પ્રમુખ ભરતભાઈ લાલના ધર્મપત્ની ભારતીબેન લાલ પણ સાથે જોડાયા હતા તેમજ વિજયાબેનનું સલાયા લોહાણા મહાજન વતી સાલ ઓઢાડી સન્માન કરાયું હતું. આ ચૈત્રી નવરાત્રીમાં દરરોજ બહેનો દીકરીઓ રાસ ગરબા રમે છે, તેમજ માતાજીની સ્તુતિ કરે છે.
દર વર્ષે ગરબા રમ્યા બાદ જુદો-જુદો અલ્પાહાર મૂળ સલાયાના અને હાલ કિશુમુ નિવાસી શેઠ જયંતભાઈ વિઠ્ઠલદાસ બદિયાણી પરિવાર દ્વારા આપવામાં આવે છે. આમ આસો નવરાત્રી બધે મનાવવામાં આવે છે, પરંતુ ચૈત્રી નવરાત્રીમાં રાસ ગરબાનું આયોજન સલાયામાં ઘણા વરસથી કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખંભાળિયા: દસ વર્ષ પૂર્વેના લાંચ-રીશ્વત કેસમાં આરોપીને ચાર વર્ષની સખત કેદ તથા દંડ
May 10, 2025 01:11 PMજામનગર બાયપાસ નજીક કાર અકસ્માતમાં એકનું મૃત્યુ
May 10, 2025 01:08 PMપથ્થરની વંડી ગોઠવતા ગડુ ગામના યુવાન પર હુમલો
May 10, 2025 01:05 PMજામનગર નજીક રમકડાના ડ્રોને પોલીસને ધંધે લગાડી
May 10, 2025 01:01 PMખંભાળીયા નગરપાલીકાના પુર્વ પ્રમુખના યુવાન પુત્રનો રિવોલ્વરથી ગોળી ધરબી આપઘાત
May 10, 2025 12:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech