જામનગરમાં સમસ્ત ખવાસ જ્ઞાતિ દાવલસા ફળી દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન

  • June 12, 2025 10:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકીય, સામાજીક આગેવાનો ખાસ રહેશે ઉપસ્થિતઃ

જામનગર ખવાસ જ્ઞાતિ દાવલશા ફળીમાં રહેલા બાલમંદિરથી ધોરણ-૯ સુધીના વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓ માટે આગામી તા. ૧૫-૬-૨૦૨૫ ને રવિવારના રોજ સાંજે ૫-૦૦ કલાકે , ગિરધારી મંદિર પાસે આવેલ ધનબાઈના ડેલામાં ભવ્ય "સરસ્વતી સન્માન  સમારોહ" નું આયોજન થશે. 

આ કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે જામનગરના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો, શહેર પ્રથમ નાગરિક અને મેયર, ડેપ્યુટી મેયર, સ્ટે.ચેરમેન, સહિતના પદાધિકારીઓ તથા કોર્પોરેટરો, સમાજના અગ્રણીઓ તેમજ સમસ્ત ખવાસ જ્ઞાતિના પાંચના પ્રમુખો, જ્ઞાતિના શિક્ષકો, ડોક્ટરો, એડવોકેટ વગેરે તેમજ યુવક મંડળના સભ્યો, કાર્યકર મિત્રોની વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં "સરસ્વતી સન્માન સમારોહ" ૨૦૨૫ નો ભવ્ય રીતે કાર્યક્રમ યોજાશે, જેમાં વિદ્યાર્થી મિત્રોને સ્કૂલ બેગ સહિત શૈક્ષણિક કીટ આપવામાં આવશે. આ સાથે જામનગરમાં વસતા સમસ્ત ખવાસ જ્ઞાતિ દાવલશા ફળીના જ્ઞાતિજનોને આ તકે પધારવા અનુરોધ કરવામાં આવે છે. આ કાર્યક્રમ પૂર્ણે અલ્પાહાર વ્યવસ્થા પણ રાખેલ છે.

આ તકે  સમસ્ત ખવાસ જ્ઞાતિ દાવલસા ફળીના પ્રમુખ અરવિંદભાઈ ચૌહાણ, મંત્રી દિનેશભાઈ સોઢા, કાર્યક્રમના ઇન્ચાર્જ અને શિક્ષણ સમિતિના ચેરમેન સાગર રાઠોડની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application