નાગરિકોને મળ્યો ઘરઆંગણે જ કલ્યાણકારી સેવાઓનો લાભ
રાજ્ય સરકારના વિવિધ વિભાગોની સુવિધાઓનો નાગરિકોને પ્રત્યક્ષ લાભ પૂરો પડવાના ઉદ્દેશ સાથે રાજ્યભરમાં તા. ૩૧ ઓકટોબર સુધી સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકાઓમાં પણ 'સરકાર આપને દ્વાર' અને 'સેવા થકી સુશાસન'ના મંત્રને સાર્થક કરતા સેવા સેતુ કાર્યક્રમો દ્વારા નાગરિકોને વિવિધ યોજનાઓ અને સેવાઓ તેમના સ્થાને ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
સલાયા નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોને આધારકાર્ડ, રેશનકાર્ડ, આયુષ્યમાન કાર્ડ, આવાસ યોજનાની સહાયો સહિત વિવિધ યોજનાઓ અને સેવાઓના લાભો પૂરા પાડવામાં આવ્યા હતા. અનેક લોકોએ આં સેવા સેતુનો લાભ લીધો હતો.આં તકે વિવિધ લાભાર્થીઓને સલાયા નગરપાલિકાના વહીવટદાર અને મામલતદાર શ્રી વરુ સાહેબ તથા ચીફ ઓફિસર પંડ્યાના હસ્તે સીધો લાભ અપાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech