રણમલ તળાવ અને એમ્યુઝમેન્ટ પાર્કમાં બનેલા સોલાર ટ્રીથી ૪૦ ટકા વિજળીની બચત

  • June 12, 2025 11:59 AM 


તળાવની પાળે ૬૫ કિલોવોટ અને એમ્યુઝમેન્ટ પાર્ક પાસે ૩૫ કિલોવોટના સોલાર ટ્રીમાંથી વિજળી મળવાનું શ‚: પીજીવીસીએલની બેધારી નીતિને કારણે પ્રોજેકટ મોડો શ‚ થયો: ‚ા.૧.૪૦ કરોડના ખર્ચે સોલાર ટ્રીથી જામ્યુકોને રાહત


રાજય સરકાર દ્વારા સોલાર સિસ્ટમ અપનાવવા માટે તમામ મહાનગરો અને કલેકટર કચેરી સહિતની અન્ય સરકારી કચેરીઓમાં પણ સોલાર સિસ્ટમ મુકવા માટે સુચના આપી છે ત્યારે જામનગર મહાપાલીકાએ આ સુચનાનો અમલ કરીને રણમલ તળાવના પાર્કિંગમાં અને એમ્યુઝમેન્ટ પાર્કમાં સોલાર ટ્રી મુકયા છે, ‚ા.૧.૪૦ કરોડના ખર્ચે તૈયાર થયેલી આ સિસ્ટમથી કોર્પોરેશનને ‚ા.૧.૮૦ લાખથી વધુ રકમની દર મહીને બચત થશે તેમ જાણવા મળે છે. આ સિસ્ટમ થોડી મોડી શ‚ થઇ કારણ કે પીજીવીસીએલ દ્વારા વિજ કનેકશન આપવામાં ઢીલ થઇ જેને કારણે આ પ્રોજેકટ મોડો શ‚ થયો હતો.


જામનગર મહાપાલીકા દ્વારા એકાદ મહીનાથી આ સોલાર સિસ્ટમ શ‚ થઇ ચૂકી છે, રણમલ તળાવામાં દરરોજ હજારો મુલાકાતીઓ આવે છે અને આકર્ષક સોલાર ટ્રી જોઇને તેઓને પણ કુતુહલ થાય છે, સોલાર જનરેશન દ્વારા વિજળી વેંચવા લોકો પ્રેરાય તે માટે ખુદ કોર્પોરેશને સુંદર અભિગમ અપનાવ્યો છે, તળાવની પાળે ૬૫ કીલોવોટની સોલાર સિસ્ટમ મુકવામાં આવી હતી, હવે તેમાં મીટરો ફીટ થઇ જતાં આ સિસ્ટમ ચાલું પણ થઇ ચૂકી છે, સરકાર દ્વારા સોલારમાંથી વિજળી મળે તે માટે લોકોને પ્રોત્સાહન આપવામાં આવે છે અને મસમોટી સબસીડી પણ આપવામાં આવે છે, રાજયના ૪૦૦ મેગા વોટના પ્રોજેકટમાં કોર્પોરેશને પણ ૨૦.૭૦ કરોડનો ફાળો આપવા જાહેરાત કરી છે. 


એમ્યુઝમેન્ટ પાર્કમાં પણ ૩૫ કિલોવોટની સોલાર સિસ્ટમ મુકવામાં આવી છે, લાઇટ શાખાના અધિકારી ઋષભ મહેતા અને પ્રોજેકટ પ્લાનીંગના અધિકારી રાજીવ જાનીના માર્ગદર્શન હેઠળ આ પ્રકારની સિસ્ટમ કામ કરી રહી છે, છેલ્લા બે વર્ષમાં કોર્પોરેશનના મુખ્ય બિલ્ડીંગ, ફાયર બ્રિગેડના બિલ્ડીંગ અને પમ્પહાઉસની છત પર કુલ ૨૭૦ કિલોવોટ પેદા કરતી પેનલો મુકવામાં આવી છે, આમ જોઇએ તો મહાપાલીકાને ‚ા.બેથી સવા બે લાખનો ફાયદો થશે જયારે આગામી દિવસોમાં બીલ આવશે ત્યારે સાચી વિગતો બહાર આવશે. 


રણમલ તળાવમાં ચારેક જેટલા વિજ મીટરો છે તે તમામ સાથે કનેકશન જોડવામાં આવ્યા છે, દર મહીને ‚ા.ત્રણેક લાખનું બીલ આવે છે અને તેમાં હવે લગભગ ૪૦ થી ૪૫ ટકા સોલાર સિસ્ટમ નખાયા બાદ ફાયદો થશે, એવી જ રીતે એમ્યુઝમેન્ટ પાર્કમાં લગભગ મહીને ‚ા.૩૦ હજારનું બીલ આવે છે તેમાં તો કદાચ કોર્પોરેશનને કંઇ પણ ભરવાનું નહીં થાય અને વિજ બીલની બચત થશે તેમ જાણવા મળે છે. 


સરકારના સોલાર સિસ્ટમ નાખવાના પ્રોજેકટનું જામનગરમાં સારી રીતે નિર્માણ થયું છે, ખરેખર જોઇએ તો કોર્પોરેશનના ખાતામાં ૧૦ મેગા વોટ પાવર જનરેશન નોંધાશે જેને કારણે લગભગ આગામી દિવસોમાં કોર્પોરેશનનું બીલ કદાચ ઝીરો થઇ જશે, હાલ તો કોર્પોરેશનને વિજ બીલમાં ચોકકસપણે પોણા બે થી બે લાખની રાહત થઇ છે, જે રીતે લાખોટા તળાવ ગેઇટ નં.૧ અને ૪ પાસે સોલાર ટ્રી મુકાયા છે તે પ્રવાસીઓ માટે પણ આકર્ષક બની ગયા છે, લોકો કુતુહલતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે, મ્યુ.કમિશ્નર દિનેશ મોદી અને સીટી ઇજનેર ભાવેશ જાની આગામી દિવસોમાં વધુ સ્થળોએ સોલાર પેનલ મુકવા માટે પ્લાનીંગ કરી રહ્યા છે, કોર્પોરેશનની જેટલી મિલ્કતો હોય ત્યાં જયાં સોલાર પેનલ મુકાય જાય તો સારી એવી રાહત થાય, તળાવની પાળે ૬૫ અને એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે ૩૫ કિલોવોટની સોલાર સિસ્ટમ આગામી દિવસોમાં કોર્પોરેશન માટે ખુબ જ રાહત‚પ થશે. 


કોર્પોરેશન દ્વારા અમુક સ્થળોએ સોલાર સિસ્ટમ મુકવામાં આવી છે જેને કારણે આગામી દિવસોમાં લોકોને પણ આ સિસ્ટમમાંથી પ્રેરણા મળશે, ખાસ કરીને કોર્પોરેશન દ્વારા વિજળી બચાવ અને સોલાર અપનાવો તે રીતના પ્રોજેકટ પણ થઇ રહ્યા છે ત્યારે જામનગરમાં પણ કેટલાક સ્થળોએ સોલાર સિસ્ટમ કાર્યરત થઇ ગઇ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application