મધ્ય અને ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં વાતાવરણમાં પલટો આવશે

  • April 05, 2024 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં રાજયમાં હવામાન સૂકુ રહેશે. ચારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી છે. ગુજરાતમાં ચાર દિવસ બાદ ફરી આકરી ગરમીનો મારો જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં રાયમાં હવામાન સૂકુ રહેશે.આગામી ત્રણ–ચાર દિવસ મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે.ત્રણ–ચાર દિવસ બાદ નોર્થ ગુજરાત, સૌરાષ્ટ્ર્ર, કચ્છમાં તાપમાનમાં બે–ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે.

નોંધનીય છે કે ગરમીમાં રાહત ફકત ચાર દિવસ જ રહેશે. ગુજરાતમાં ચાર દિવસ બાદ ફરી આકરી ગરમીનો મારો જોવા મળી શકે છે.ગરમી અંગે હવામાન વિભાગની આગાહી અનુસાર ૪ દિવસ બાદ પારો ૨થી ૩ ડિગ્રી ઐંચકાઈ શકે છે.આમ ૪ દિવસ બાદ ગરમીનો પારો ૪૦ ડિગ્રીએ પહોંચી શકે છે.

હવામાન શાક્રી અંબાલાલ પટેલે પણ રાયમાં માવઠાની સંભાવના વ્યકત કરી છે.હવામાન શાક્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ૧૨થી ૧૮ એપ્રિલ દરમિયાન પંચમહાલ, સાબરકાંઠા, અમદાવાદ અને મધ્યગુજરાતના ભાગોમાં માવઠું થઇ શકે છે.કચ્છ, સુરત, ઉત્તર સૌરાષ્ટ્ર્રના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે. ગુજરાતના ઘણા ભાગના વિસ્તારોમાં કયાંક વરસદ તો કયાંક પવન તો કયાંક છાંટા થવાની શકયતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ,અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, મહેસાણા, પંચમહાલ,પાટણ, રાજકોટ,સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં ૩૬ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. યારે તાપી, નર્મદા, ભચ, અમરેલી સહિતના જિલ્લાઓમાં ૩૯ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શકયતા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application