રાજકોટ શહેરમાં ચોમાસાના આગમન સાથે જ મહાનગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રિ-મોન્સુન કામગીરીના દાવાઓની પોલ ખુલી ગઈ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં, ખાસ કરીને માધાપર ચોકડી પર, મોટા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે વાહનચાલકોને જીવના જોખમે વાહન ચલાવવા મજબૂર થવું પડી રહ્યું છે.
પ્રિ-મોન્સુન કામગીરીના મોટા મોટા દાવા
ચોમાસા પહેલા મનપા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીના મોટા મોટા દાવા કરવામાં આવ્યા હતા. જોકે, વરસાદની શરૂઆતની સાથે જ આ દાવાઓની પોલ ખુલી ગઈ છે. માધાપર ચોકડી જેવા વિસ્તારમાં રોડ પર પડેલા વિશાળ ખાડાઓને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ખાડાઓ અકસ્માતને નોતરી રહ્યા છે અને ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જી રહ્યા છે.
મનપાની બેદરકારી સામે રોષ
સ્થાનિક નાગરિકોમાં મનપાની બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે તંત્ર દ્વારા માત્ર કાગળ પર જ કામગીરી કરવામાં આવે છે અને વાસ્તવિકતામાં પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. સત્તાવાળાઓ આ ખાડાઓ તાત્કાલિક રીપેર કરે અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરે તેવી માંગ ઉઠી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસીઝફાયર નહિ, કાંઇક મોટું થવાનું છે: ટ્રમ્પના નિવેદને દુનિયાનું ટેન્શન વધાર્યું
June 17, 2025 04:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech