મકાનનું તાળું તોડ્યા વિના તસ્કરો અંદરથી ૫૦ હજારની રોકડ અને સોનાના દાગીના સહિત ની માલમતા ઉઠાવી ગયા
જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતા એક સિક્યુરિટી ગાર્ડના બંધ મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને મકાનના તાળા તોડ્યા વિના અંદરથી રૂપિયા ૫૦ હજારની રોકડ રકમ અને સોનાના દાગીના સહિત રૂપિયા એક લાખ સાત હજાર ની માલમતા ઉઠાવી ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરના ગોકુલ નગર નજીક રામનગર શેરી નંબર-૭ માં રહેતા અને ખાનગી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હરદાસભાઇ દાનાભાઈ કરંગીયા નામના ૫૪ વર્ષના સિક્યુરિટી ગાર્ડે પોતાના મકાનમાંથી કોઈ તસ્કરો રૂપિયા ૫૭ હજારની કિંમતના સોનાના દાગીના અને ૫૦,૦૦૦ ની રોકડ રકમની ચોરી કરી લઈ ગયા ની સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર તસ્કરોએ પોતાના મકાનનું તાળું તોડ્યું ન હતું, તેમ છતાં ઘરમાં પ્રવેશ મેળવી લઈ અંદરથી રોકડ રકમ અને દાગીના લઈ ગયા નું પોલીસમાં જાહેર કર્યું છે. જે મામલે પી.એસ.આઇ. આર.ડી. ગોહિલ વધુ તપાસ ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech