વિજયભાઈનો પાર્થિવદેહ કાલે બપોરે 2 વાગ્યે રાજકોટ એરપોર્ટ આવશે, બપોર પછી 4થી 5 અંતિમદર્શન, 5થી6 અંતિમયાત્રા, જાણો 5 દિવસના કાર્યક્રમો

  • June 15, 2025 05:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે. આજે તેમના ડીએનએ મેચ થતા આજે ગાંધીનગરમાં ભાજપના નેતાઓ અને વિજયભાઈના પુત્ર રૂષભે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વિજયભાઈ રૂપાણીનો પાર્થિવદેહ આવતીકાલે સવારે 11.30 વાગ્યે અમદાવાદ સિવિલ હોસ્પિટલ તરફથી તેમના પરિવારને સોંપાશે.


મંત્રીએ વધુમાં જણાવ્યું કે, પાર્થિવદેહ સોંપાયા પછી અંજલીબેન અને તેનો પરિવાર સિવિલ હોસ્પિટલથી અમદાવાદ એરપોર્ટ જશે. અહીંથી હવાઈ માર્ગે બપોરે 2 વાગ્યે વિજયભાઈનો પાર્થિવદેહ રાજકોટ એરપોર્ટ પહોંચશે. બપોર પછી 2.30 વાગ્યે ગ્રીનલેન્ડ ચોકડીથી શબવાહીનામાં પાર્થિવદેહને રાખી તેમના ઘર તરફ જશે. તેમના ઘરે જવા માટે દોઢ કલાક જેવો લાગશે. બાદમાં તેમના ઘરે બપોર પછી 4થી 5 વાગ્યા સુધી અંતિમદર્શન માટે પાર્થિવદેહને રાખવામાં આવશે. બાદમાં 5 વાગ્યે અંતિમયાત્રા શરૂ થશે અને 6 રામનાથપરા સ્મશાન પહોંચી ત્યાં અંગ્નિસંસ્કાર કરવામાં આવશે. મંગળવારે બપોર પછી 3થી 6 વાગ્યા સુધી રાજકોટના રેસકોર્સ મેદાનમાં પ્રાર્થનસભા યોજાશે.



વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રા અને પ્રાર્થનાસભાના પાંચ દિવસના કાર્યક્રમો યોજાશે. જેમાં રાજકોટમાં આવતીકાલે અંતિમયાત્રા, મંગળવારે રાજકોટમાં પ્રાર્થનાસભા, ગુરૂવારે ગાંધીનગરમાં પ્રાર્થનસભા અને પછીના દિવસે પક્ષના શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજાશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application