જામનગરમાં અંધાશ્રમ કોલોની વિસ્તારમાં રહેતા એક વિપ્ર યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં અંધાશ્રમ કોલોની વિસ્તારમાં રહેતા પ્રિતેશ મનહરભાઈ સુર નામના ૪૧ વર્ષના વિપ્ર યુવાને ગત પાંચમી તારીખે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જયાં સારવાર દરમિયાન ગઈકાલે તેનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે મૃતકની માતા ગીતાબેન મનહરભાઈ એ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝનના પોલીસે હેડ કોન્સ્ટેબલ એચ. એ. પરમાર જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech