ખંભાળિયા નજીક રીક્ષા અકસ્માતમાં યુવાનનું મૃત્યુ

  • June 07, 2025 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ખંભાળિયા - દ્વારકા ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 18 કિલોમીટર દૂર વડત્રા ગામે એક હોટલ પાસેથી પસાર થતી જી.જે. 03 એ.યુ. 5124 નંબરના છકડો રીક્ષા આડે એકાએક કૂતરું ઉતરતા છકડા રીક્ષાનું ટાયર ડિવાઇડર પર ચડી ગયું હતું. જેના કારણે રીક્ષા પલટી ખાઈ ગયો હતો.

આ અકસ્માતમાં રીક્ષા ચાલક એવા જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ધરાનગર ખાતે રહેતા અજયભાઈ રાજુભાઈ ચૌહાણ નામના 25 વર્ષના યુવાનનું ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય મુસાફરોને નાની-મોટી ઇજાઓ થવા પામી હતી. આ બનાવ અંગે રાજુભાઈ હરજીભાઈ ચૌહાણ (ઉ.વ. 50) એ ખંભાળિયા પોલીસ મથકમાં જરૂરી નોંધ કરાવી છે.


શક્તિનગરના યુવાનને હાર્ટ એટેકનો હુમલો

ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં આવેલા વણકરવાસ ખાતે રહેતા કરસનભાઈ નારણભાઈ વારસાકીયા નામના 47 વર્ષના યુવાનને રાત્રિના સમયે સૂતા બાદ હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જે અંગેની જાણ મૃતકના નાનાભાઈ લાખાભાઈ વારસાકીયાએ અહીંની પોલીસને કરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application