ખંભાળિયા - દ્વારકા ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 18 કિલોમીટર દૂર વડત્રા ગામે એક હોટલ પાસેથી પસાર થતી જી.જે. 03 એ.યુ. 5124 નંબરના છકડો રીક્ષા આડે એકાએક કૂતરું ઉતરતા છકડા રીક્ષાનું ટાયર ડિવાઇડર પર ચડી ગયું હતું. જેના કારણે રીક્ષા પલટી ખાઈ ગયો હતો.
આ અકસ્માતમાં રીક્ષા ચાલક એવા જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ધરાનગર ખાતે રહેતા અજયભાઈ રાજુભાઈ ચૌહાણ નામના 25 વર્ષના યુવાનનું ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય મુસાફરોને નાની-મોટી ઇજાઓ થવા પામી હતી. આ બનાવ અંગે રાજુભાઈ હરજીભાઈ ચૌહાણ (ઉ.વ. 50) એ ખંભાળિયા પોલીસ મથકમાં જરૂરી નોંધ કરાવી છે.
શક્તિનગરના યુવાનને હાર્ટ એટેકનો હુમલો
ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં આવેલા વણકરવાસ ખાતે રહેતા કરસનભાઈ નારણભાઈ વારસાકીયા નામના 47 વર્ષના યુવાનને રાત્રિના સમયે સૂતા બાદ હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જે અંગેની જાણ મૃતકના નાનાભાઈ લાખાભાઈ વારસાકીયાએ અહીંની પોલીસને કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમદાવાદ વિમાન દુર્ઘટના: DNA સેમ્પલ મેચનો આંક 80 થયો, 33 મૃતદેહ પરિવારને સોંપાયા
June 15, 2025 11:39 PMPF માંથી ક્યારે અને કેટલા પૈસા કાઢી શકાય? જાણો EPFO ના નવા નિયમો
June 15, 2025 09:16 PMગુજરાતના પનોતા પુત્રને વિદાય: રૂપાણીના નિધનથી રાજકીય શોક
June 15, 2025 08:53 PMઅમદાવાદ વિમાન દુર્ઘટના RATને કારણે થઈ! ભૂતપૂર્વ યુએસ નેવી પાઇલટે કર્યો ખુલાસો
June 15, 2025 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech