જામનગર નજીક સપડા ડેમમાં રવિવારે સાંજે નાહવા માટે ગયેલા ત્રણ મિત્રો પૈકીના એક યુવાનનું ડેમના પાણીમાં ગરકાવ થઈ જતાં કરૂણ મૃત્યુ નીપજયું છે. જેથી યુવાનના પરિવારમાં માતમ છવાયો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર સનમ સોસાયટીમાં રહેતો શહેજાદ સુમારભાઈ શેખ નામનો ૧૮ વર્ષનો યુવાન પોતાના જ અન્ય બે મિત્રો સાથે રવિવારે બપોરે ચારેક વાગ્યાના અરસામાં જામનગર થી સપડા ડેમ પાસે ગયો હતો, અને ત્રણેય યુવાનો ડેમના પાણીમાં નાહવા માટે પડ્યા હતા.
દરમિયાન શહેજાદ એકાએક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, અને ડૂબવા લાગ્યો હતો. આ વેળાએ તેના અન્ય બે મિત્રો કે જેઓ કિનારા પર હતા, અને બુમા બુમ કરી હતી, પરંતુ શહેજાદ ઉંડા પાણીમાં ચાલ્યો ગયો હતો. જેથી તૂરતજ જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
આથી ફાયર શાખાના ભરત ગોહેલ, રણજીત પાદરીયા, રાજદીપ ઝાલા અને ભારત જેઠવા સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને ડેમના પાણીને ફંફોળવાનું શરૂ કર્યું હતું. દસેક મિનિટની જહેમત બાદ શહેઝાદ ને પાણીમાંથી શોધી કાઢ્યો હતો. જેને બહાર કાઢીને રિક્ષામાં સારવાર અર્થે લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેને મૃત્યુ પામેલો જાહેર કરાયો હતો. જેથી સમગ્ર પરિવારમાં અને મિત્ર વર્તુળમાં માતમ છવાયો છે.
આ બનાવની જાણ થતાં પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ જીજી હોસ્પિટલ દોડી ગયો હતો, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech