રાજકોટ શહેરના કાલાવડ રોડ અને રીંગરોડ ટુ ના જંકશન પોઇન્ટ ઉપર નિર્માણ થનારા કટારીયા ચોક ઓવર બ્રિજના કામે કાલાવડ રોડ ઉપર લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળ કપાતમાં જતી ૧૧ મિલકતોને નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળે છે આ ૧૧ પૈકી અમુક મિલકતોને અગાઉ પ્રથમ નોટિસની બજવણી કરાઈ હતી પરંતુ ત્યારબાદ તેમણે જાતે પોતાની મિલકતનો નડતરરૂપ હિસ્સો દૂર નહીં કરતા તાજેતરમાં બીજી વખત નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં મહાપાલિકાની ટીપી બ્રાન્ચ અને બાંધકામ શાખાના ઇનનેરી વર્તુળોએ જણાવ્યું હતું કે કટારીયા ચોક બ્રિજના કામે લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળ કોસ્મોપ્લેક્સ, રંગોલી રેસ્ટોરન્ટ, ગિરિરાજ રેસ્ટોરન્ટ, જલારામ રેસ્ટોરન્ટ, રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન, ગ્વાલિયા, કટારીયા શો રૂમ, સરાઝા, આઈઓસી પેટ્રોલ પમ્પ સહિત ૧૦ તેમજ રૂડાનો એક પ્લોટ પણ કપાતમાં હોય તમામને નોટીસની બજવણી કરાઇ છે. મોટા મવાથી અવધ રોડ સુધીના કાલાવડ રોડના વાઇડનિંગ માટે સૌપ્રથમ આ રોડ પર બંને બાજુ આવતી તમામ લાગુ પડતી મિલકતોને નોટિસ આપવામાં આવી હતી ત્યારબાદ હવે કટારીયા ચોક બ્રિજના કામે બીજી વખત લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ અંતર્ગતની નોટિસ આપવામાં આવી છે. અમુક મિલકત ધારકોએ નોટિસને દાદ આપીને તુરંત જ જરૂરી કાર્યવાહી કરી નાખી છે ત્યારે અમુક મિલકત ધારકોએ હજુ સુધી નડતરરૂપ હિસ્સો દૂર કર્યો નથી તેથી બીજી વખત નોટિસ આપવામાં આવી તેમ સૂત્રોએ ઉમેંર્યું હતું. આ મિલકતોનો અંદાજે પાંચથી ૧૫ ફૂટ જેટલો હિસ્સો કપાતમાં જતો હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત તા.૨૬ માર્ચના રોજ મુખ્યમંત્રીના હસ્તે કટારીયા ચોક બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પરંતુ હજુ કાલાવડ રોડ નું કામ અધૂરું હોય તેમ જ પાણી, ડ્રેનેજ, ગેસ, ટેલિકોમ અને વીજ લાઈન સહિતની યુટીલિટી લાઇન્સનું શિફ્ટિંગ પણ બાકી હોય તે પૂર્ણ થાય ત્યાં સુધીમાં તો ચોમાસું વીતી જશે તેવી સ્થિતિ છે. આથી કટારીયા ચોક બ્રિજના પાયા આવતા શિયાળામાં ખોદાશે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી.તદ ઉપરાંત સૌથી મહત્વની અને ગંભીર બાબત એ પણ છે કે હજુ આજ દિવસ સુધી આ બ્રિજ પ્રોજેક્ટના કામે રોડ ડાઈવર્ઝન ક્યાંથી અપાશે તે નક્કી થઈ શક્યું નથી.
કોસ્મોપ્લેક્સ સિનેમાએ દિવાલ હટાવી નાખી
કાલાવડ રોડ ઉપરના કોસ્મોપ્લેક્સ સિનેમા હાઉસનું સંકુલ પણ એલઓપી અને બ્રિજના કામે કપાત કરવાનું થતુ હતું તેને અગાઉ પ્રથમ નોટિસ અપાય ત્યારબાદ તેમણે તુરંત જ પોતાની દિવાલ હટાવી ડિમાર્કેશન મુજબ નવી દિવાલ બનાવી નાખી છે તેમ મ્યુનિ.ઇજનેરોએ જણાવ્યું હતું.
કિયા શો રૂમએ જગ્યા છોડી હોય નોટિસ નહીં
કાલાવડ રોડ વાઇડનિંગ અને કટારીયા ચોક બ્રિજના કામે ૧૧ મિલ્કતોને નોટિસ અપાઇ છે તેમાં કિયા શૉરૂમને નોટિસ અપાઈ નથી આ અંગે મ્યુનિ.ઇજનેરોએ જણાવ્યું હતું કીયા શો રૂમએ અગાઉથી કાલાવડ રોડ વાઇડનિંગ અને બ્રિજ માટેની જેટલું જરૂરી હોય તેટલું માર્જિન છોડ્યું હોય તેને નોટિસ આપવાની રહે નહીં.
કટારીયા શોરૂમ સંકુલનો અમુક હિસ્સો કપાતમાં
કાલાવડ રોડ અને રિંગ રોડ-૨ વચ્ચેના ચોકની કોર્નર ઉપર આવેલા કટારીયા શો રૂમનું સંકુલનો અમુક હિસ્સો બ્રિજના ૭.૫ મીટરના સર્વિસ રોડ માટે કપાત કરવાનો થતો હોય એ મામલે નોટિસની બજવણી કરાઇ છે તેમ મ્યુનિ.ઇજનેરી સૂત્રોએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech