જામનગરની ૪૪, ખંભાળિયાની ૨૬,જામજોધપુરની ૨૫, ધ્રોલની ૨૧ અને દ્વારકાની ૧૪ બસોનો સમાવેશ: વેકેશનના માહોલમાં મુસાફરોને હાલાકી
ઓપરેશન સિંદુર બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે આજે અને આવતીકાલે એમ બે દિવસ તેઓ ગુજરાતમાં દાહોદ,ભૂજ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે વડાપ્રધાન આ કાર્યક્રમને અનુલક્ષીને જામનગર એસટી ડીવીઝનની કચ્છ કાર્યક્રમ માટે ૧૩૦ બસો ફાળવવામાં આવી છે.
આજે વડાપ્રધાન કચ્છની મુલાકાતે આવનાર છે જેમાં સૌરાષ્ટ્રભરમાંથી જન મેદની એકઠી કરવા માટે જામનગર વિભાગની ૧૩૦ સહિત રાજયની ૧૩૦૦ એસ.ટી. બસો કચ્છમાં મોકલવામાં આવી છે . જેના પગલે અનેક રૂટો રદ કરવામાં આવ્યા છે.જેથી વેકેશનના સમયમાં મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે.
ઉલ્લેખનિય છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધ જેવી પરિસ્થિતિમાં સરહદી જિલ્લા કચ્છમાં પાકિસ્તાને અનેક સ્થળે ડ્રોન હુમલા કર્યા હતા, અને તાજેતરમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહે પણ મુલાકાત લીધી હતી. અને હવે ૨૬મી એ વડાપ્રધાન પણ કચ્છની મુલાકાતે આવવાના હોવાથી સમગ્ર સૌરાષ્ટ્રમાંથી જનમેદની એકઠી કરવા માટે ૧૩૦૦ જેટલી બસો રોકવામાં આવી છે.
જેમાં જામનગર વિભાગના પાંચ ડેપોની ૧૩૦ જેટલી બસો ફાળવવામાં આવી છે જેમાંથી સૌથી વધુ જામનગર ડેપોની ૪૪, ખંભાળિયાની ૨૬, જામજોધપુરની ૨૫, ધ્રોલની ૨૧ અને દ્વારકા ડેપોની ૧૪ બસો ફાળવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech