જાપાનમાં ગઈકાલે નવા વર્ષના પ્રથમ દિવસે જ ૭.૬ની તીવ્રતાનો ભૂકપં આવ્યો હતો જેમાં અનેક ઈમારતો ધરાશાયી થઈ હતી અને ઘણા મકાનોને નુકશાન થયું હતું. ભૂકંપને કારણે અત્યાર સુધીમાં ૬ લોકોએ જીવ ગુમાવ્યા છે.
જાપાનમાં ગઈકાલે નવા વર્ષના પ્રથમ દિવસે આવેલા શકિતશાળી ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ અત્યાર સુધીમાં ભૂકંપના ૧૫૫ ઝટકા અનુભવાયા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે હજુ પણ કાટમાળ નીચે કેટલાક લોકો ફસાયા હોવાનો અંદાજ છે. પોલીસ અને સ્થાનિક અધિકારીઓએ આજે વહેલી સવારે કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢા હોવાની માહિતી આપી હતી. ગઈકાલે બપોરના સમયે આવેલા ૭.૬ની તીવ્રતાના ભૂકંપથી જાપાન હચમચી ગયું હતું અને દરયિકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને સુનામીની ચેતવણી આપવામાં આવી હતી જેના પગલે અનેક લોકો ઉચ્ચા વિસ્તારોમાં ભાગી જવાની ફરજ પડી હતી.
હાલ રાહત અને બચાવ કાર્ય માટે સેનાની મદદ લેવામાં આવી રહી છે અને ભૂકંપમાં સૌથી વધુ અસર ઈશિકાવામાં થઈ હતી યાં ભૂકંપને કારણે રનવેમાં નુકશાન પહોંચ્યું હોવાથી એરપોર્ટને બધં કરવામાં રાખવામાં આવ્યું હતું. જાપાનના હવામાન વિભાગ દ્રારા ગઈકાલે આવેલા ભૂકપં બાદ સતત ૯૦ આટરશોક આવ્યા હતા. જાપાનના વડાપ્રધાને ગઈકાલે મોડી રાત્રે કહ્યું હતું કે રોડ રસ્તાઓ તુટી જવાને કારણે રાહત અને બચાવ કાર્યની ટીમને અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવામાં વિલબં થઈ રહ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech