શાપરમાં પરપ્રાંતિય મજૂરોના 181 બાળકો નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલે જશે

  • May 06, 2025 10:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લા પંચાયતની શિક્ષણ શાખા દ્વારા શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને તેમાં મજૂરી કામ માટે આ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા જુદા જુદા રાજ્યના મજૂરોના 181 બાળકો શાળાએ ન જતા હોવાનું માલુમ પડ્યું હતું.

શિક્ષણ વિભાગ દ્રારા ખાસ ઝુંબેશના ભાગરૂપે આ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સર્વે કરાયો હતો. જેમા ૧૮૧ બાળકો મળી આવ્યા હતા. આ તમામ બાળકોને નવા શૈક્ષણિક વર્ષમાં નજીકની પ્રાથમિક શાળાઓમાં નામાંકન કરી શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં આવશે.

ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રોજગારી અર્થે વસવાટ કરતા પરીવારોના બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે શાળા બહારના બાળકોનો સર્વે કરવાની સુચના શિક્ષણ વિભાગનાં અધિકારીઓને જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદએ સૂચના આપી હતી.

જેના અનુસંધાને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિક્ષિત પટેલ દ્રારા શાપર વેરાવળની તમામ શાળાઓના આચાર્યો,સીઆરસી કો-ઓર્ડીનેટર, બીઆરસી કો-ઓર્ડીનેટર સાથે મિટિંગ કરી, શાળા બહારના બાળકોનો સર્વે કરી તેમનું શાળામાં નામાંકન કરવા અંગેની તાકીદ કરી હતી. આ વિચારને શિક્ષણ વિભાગ દ્રારા ખાસ ઝુંબેશના ભાગરૂપે લઇ શિક્ષકોએ આ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સર્વે કરતા ૧૮૧ બાળકો મળી આવ્યા હતા. આ તમામ બાળકોને નવા શૈક્ષણિક વર્ષમાં નજીકની પ્રાથમિક શાળાઓમાં નામાંકન કરી શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application