બલુચિસ્તાનમાં કોલસાની ખાણમાં બ્લાસ્ટ થતાં ૩૨ મજૂરોના થયા મોત: ૧૦ લાપતા
બલુચિસ્તાનમાં કોલસાની ખાણમાં બ્લાસ્ટ થતાં ૩૨ મજૂરોના થયા મોત: ૧૦ લાપતા
July 31, 2026 01:53 PM
પાકિસ્તાનના બલુચિસ્તાનમાં એક મોટી દુર્ઘટના બની. કોલસાની ખાણમાં એક પ્રચડં બ્લાસ્ટ થયો, જેના કારણે ખાણનો મોટો ભાગ ધરાશાયી થયો. ઓછામાં ઓછા ૩૨ મજુરો માર્યા ગયા, યારે ડઝનબધં કામદારો ભૂગર્ભમાં ફસાયા અને હજુ પણ ગુમ છે. આ વિસ્ફોટ બલુચિસ્તાનની રાજધાની કવેટા નજીક સુરણજના દૂરના વિસ્તારમાં થયો હતો. બલુચિસ્તાનના ખાણ અને ખનિજ વિકાસ મંત્રી શોએબ નોશેરવાનીએ રોઇટર્સને જણાવ્યું હતું કે વિસ્ફોટ થયો ત્યારે ખાણના તૂટી પડેલા ભાગમાં ઘણા કામદારો કામ કરી રહ્યા હતા. નોશેરવાનીએ પીડિતોના સંબંધીઓ પ્રત્યે સંવેદના વ્યકત કરી હતી અને કહ્યું હતું કે પ્રાંતીય સરકાર વિસ્ફોટમાં માર્યા ગયેલા દરેક ખાણ કામદારના પરિવારોને ૫૦૦,૦૦૦ પાકિસ્તાની પિયાનું વળતર આપશે. તેમણે ઉમેયુ હતું કે અધિકારીઓ વિસ્ફોટના કારણની સંપૂર્ણ તપાસ કરશે અને ખાણકામ સલામતી પગલાંની સમીક્ષા કરશે.ઘટનાની જાણ થતાં જ રાહત અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ. ખાણના મુખ્ય નિરીક્ષક મોહમ્મદ આતિફે જણાવ્યું હતું કે આશરે ૪,૦૦૦ ફટ (૧,૨૧૯ મીટર) ની ઐંડાઈએ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કોલસા ખાણ કામદારોના યુનિયને જણાવ્યું હતું કે તેમને અફવાઓ વિસ્ફોટનું કારણ હોવાનું શંકા છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પાકિસ્તાન સેન્ટ્રલ માઇન્સ લેબર ફેડરેશને સરકારને સલામતીના નિયમોનો કડક અમલ કરવા અને ખાણ સલામતીના નિયમોનું ઉલ્લંઘન કરતી કંપનીઓ સામે કડક પગલાં લેવાની અપીલ કરી હતી. ભૂગર્ભ ખાણની ઐંડાઈ અને ઝેરી વાયુઓના જોખમને કારણે બચાવ ટીમો નોંધપાત્ર મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. ગુમ થયેલા ખાણ કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે.