પોરબંદરમાં સમય ગૃપ નામની સંસ્થા દ્વારા કીડી માટે ૫૫૫૫ શ્રીફળ ભોજનના હેતુસર તૈયાર કરવામાં આવ્યા છે.
પોરબંદરમાં જુદા-જુદા પ્રકારની સેવા પ્રવૃત્તિઓ દ્વારા મુંગા જીવોથી માંડીને માનવીઓ માટે અવિરતપણે અવનવા આયોજનો હાથ ધરનાર સમય ગ્રુપના યુવાનો દ્વારા કીડી માટેના સેવાયજ્ઞનું આયોજન થયુ હતુ, જેમાં ૫૫૫૫ જેટલા શ્રીફળમાં જુદા જુદા નવ પ્રકારની સામગ્રી ભરીને તેનું વિશિષ્ટ કીડિયા તૈયાર કરવામાં આવ્યુ હતુ તથા જંગલ વિસ્તારમાં આ શ્રીફળ પધરાવવામાં આવ્યા હતા.
શ્રીફળમાંથી છોતા કાઢીને અંદર હોલ પાડી નવ જાતની સામગ્રી ભરી સેવાયજ્ઞ યોજાયો હતો,જેમાં ઘઉંનો લોટ,ચોખાનો લોટ,તલ,રવો, ખાંડ પાવડર, તેલ, ગંગાજળ, બિસ્કીટ, તુલસીપાન,વગેરે મિક્સ કરી શ્રીફળની અંદર ભરી અલગ અલગ જંગલ વિસ્તારમાં આ શ્રીફળ પધરાવવામાં આવે છે
આ એક શ્રીફળ કીડીને અંદાજે છ મહિના સુધી ચાલે છે પોરબંદરના છાંયા એ.સી.સી.રોડ સામેના ગ્રાઉન્ડમાં અને છાયા રઘુવંશી સામેના વિસ્તારમાં અને નિરમા ફેક્ટરીની સામેના ઝાડી ઝાંખરામાં તેમજ વડલામાં તથા જુદા-જુદા વૃક્ષોમાં અને બિરલા ફેક્ટરીની પાછળના ભાગમાં દૂધેશ્ર્વર ચાડેશ્ર્વર મંદિર અને વનાણા હાઇવે પર ધરમપુર હાઈવે પર સાઈબાબાના મંદિરના સામેના અને જયુબેલી થી ગાયત્રી મંદિરના વિસ્તારમાં ઝાડીઓમાં તેમજ વડલામાં આ શ્રીફળ પધરાવવામાં આવ્યા છે.
સમય ગ્રુપના યુવાનોએ જુદા-જુદા યાત્રાધામોમાં પણ કીડીઓ માટેનું ભોજન તૈયાર કરીને સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામો દ્વારકા,સોમનાથ વિરપુર અને નવીબંદર તેમજ નરવાઈ માતાજીના મંદિરની આજુબાજુના વિસ્તારમાં આ પ્રકારનું સેવાકાર્ય યોજાતા સમય ગ્રુપના યુવાનોની કામગીરીને સૌએ બિરદાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech