પોરબંદરમાં કોરોના વાયરસની વાર્તાઓના પુસ્તકનું પ્રકાશન થયું છે.
પ્રતિષ્ઠિત લેખકોની કોરોના વિશેની દમદાર ટુંકી વાર્તાઓ સમાવતુંને ઝેડ કાડ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત અનોખું પુસ્તક ‘કોરોના’ (વાયરસ વાર્તાઓ) તાજેતરમાં જ પ્રકાશિત થયું છે, જેનું સંપાદન જાણીતા સર્જકો હરીશ મહુવાકર અને દુર્ગેશ ઓઝા દ્વારા કરવામાં આવ્યું છે.આ પુસ્તકની વિશેષતા એ છે કે,તેમાં કોરોના વાયરસની બિમારી વખતે માણસોના રંગઢંગ, કોણ ખરેખર આપણુંને કોણ પરાયું, ત્યારનું વાતાવરણ વગેરે વિષયોનું વિવિધ વાર્તાઓ દ્વારા ખુબ સરસ નિપણ કરવામાં આવ્યું છે.આ બધી વાર્તાઓ હ્રદયસ્પર્શી છે.ઘણાને એમ થશે કે આ તો મારી જ વાત અહી રજુ થઈ છે એવી રીતે સંવેદનાને અહીં વાચા આપવાનો સરસ પ્રયત્ન થયો છે.આ પુસ્તક દમદાર સર્જકો સુમંત રાવલ, જગદીપ ઉપાધ્યાય તેમ જ નરોત્તમભાઈ પલાણને અર્પણ કરવામાં આવ્યું છે એ આનંદ અને ગૌરવની વાત છે. નરોત્તમભાઈ પલાણ પોરબંદરનું જ નહીં, પણ સમગ્ર સાહિત્યજગતનું એક અણમોલ રત્ન છે.કોરોના વાયરસ વિશેના આ વાર્તાસંગ્રહમાં પોરબંદરના લેખક દુર્ગેશ ઓઝાની વાર્તા ‘ધમકી’ને પણ એની ગુણવત્તાને પરખી હરીશભાઈ મહુવાકર અને પ્રકાશક મનીષભાઈ પટેલે સ્થાન આપ્યું છે.દુર્ગેશ ઓઝા અને હરીશ મહુવાકરનું સંપાદન અહીં ઊડીને આંખે વળગે છે. લેખકો અને સંપાદકોની મહેનત અને સુઝ પ્રશંસનીય છે.આ ‘કોરોના’ (વાયરસ વાર્તાઓ) પુસ્તકમાં રહેલી વાર્તાઓ તો સરસ છે જ, એની સાથે પુસ્તકની છપાઈ, લે-આઉટ પણ આકર્ષક છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech