રાજકોટ મહાપાલિકાના બેસ્ટ જુઓ હેઠળના વોર્ડ નં.૧૧માં આવેલા કણકોટ રોડ ઉપરના પંચરત્ન પાર્ક વિસ્તારના રહીશોનું ટોળું આજે પાણી પ્રશ્ન રજૂઆત કરવા માટે મહાપાલિકા કચેરીએ ધસી આવ્યું હતું. અંદાજે 100 થી 150 સ્ત્રી પુરુષોનું આ ટોળું મેયરને રજૂઆત કરવા ઈચ્છતું હતું પરંતુ મેયર કાયમની જેમ કચેરીમાં હાજર ન હોય અંતે શાસક પક્ષના નેતા લીલુબેન જાદવને રજૂઆત કરવામાં આવી હતી આટોળાની રજૂઆત એવી હતી કે તેમના વિસ્તારમાં નળ કનેક્શન હજુ સુધી પહોંચ્યા નથી અને હાલ સુધી ટેન્કરથી પાણી અપાતું હતું તે પણ બંધ કરી દેવામાં આવતા રહીશોની હાલત માઠી થઈ ગઈ છે.
વિશેષમાં રહીશોએ પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે અમારો વિસ્તાર પંચરત્ન પાર્ક ૨૫ મિટરનાં પ્લોટ જે તે સમયે, જગદીશન કલેક્ટર હતા, ત્યારે પ્રસૂતા બહેનોને 1991-92માં આપવામાં આવેલા, અને હાલ આશરે 500 પરિવાર રહે છે, 2019-20માં કોર્પોરેશનમાં ભેડવામાં આવેલું છે, પરંતુ અમારા વિસ્તારમાં ખાસ કરીને પાણીની સમસ્યા બહુ જટિલ છે, મહાપાલિકા દ્વારા પાણીના ટાંકા મન પડે ત્યારે અપાતા હોય છે. અને આવે તો દાદાગીરીથી પાણી આપવામાં આવે છે, આવડા મોટા વિસ્તારમાં ખાલી 10000 લીટરના બે જ ટાંકા પાણીના આપવામાં આવે છે, આ વિસ્તારમાં મજૂરી વર્ગના લોકો રહેતા હોય આવી મોઘવારી માં માન કરીને પોતાનાં ઘર નું ગુજરાત ચલાવી શકતા હોય તો 150 રૂપિયાની પાણીની નાની ટાંકી વેચાતી લય ને નાખવી પડતી હોય છે, અમારા વિસ્તારમાં ડીઆઇની લાઈન ને ડ્રેનેજની લાઇન તાત્કાલિક ધોરણે નાખવામાં આવી. પણ તેનું કામ છ મહિનાથી અધૂરું છે. અમો લોકોને અધિકારીઓ દ્વારા આશ્વાસન આપવામાં આવતું હોય છે કે થોડા જ દિવસોમાં તમોને પાણી મળતું થઇ જશે, પરંતુ હવે તો ટેન્કરથી મળતું હતું એ પણ બંધ થઇ ગયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોનાના દાગીનાનું વેચાણ ધીમું પડ્યું, લોકો દ્વારા સ્ટડેડ દાગીનાની પસંદગી
June 17, 2025 01:03 PMદ્વારકામાં મેઘાના આગમને સમુદ્રમાં ૧ર થી ૧પ ફૂટ મોજાં ઉછળ્યા
June 17, 2025 12:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech