જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા એક આધેડ પોતાનું મોટરસાયકલ લઈને લાલપુર પંથકમાંથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન સેતાલુશ પાસે તેઓનું બાઈક સ્લીપ થઈ જતાં ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નિપજ્યું છે.
જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૫૮માં રહેતા વસંતભાઈ ધરમશીભાઈ કણજારીયા (ઉ.વ.૫૧) નામના આધેડ ગત ૧૮ના પોતાનું મોટરસાયકલ લઈને લાલપુર તાલુકાના સેતાલુસ ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા.
જે દરમિયાન તેઓનું બાઈક સ્લીપ થઈ જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. જેથી તેઓને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં ગઈકાલે સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ મુળ આમરા ગામના હાલ કૃષ્ણ કોલોનીમાં રહેતા બેચરભાઈ ધરમશીભાઈ કણજારીયાએ પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસે જી.જી. હોસ્પિટલમાં દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech