રાજકોટ રેન્જના આઈજીપી અશોકકુમાર યાદવ અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા જરૂરી માર્ગદર્શન અપાયું
જામનગર જિલ્લાના ધ્રોળમાં વ્યાજખોરીના દૂષણના ડામવા માટે રાજકોટ રેન્જ ના આઈ જી પી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ જામનગરના જિલ્લાના એસ.પી. પ્રેમસુખ ડેલુ સાહેબ ની અધ્યક્ષતામાં જન સંપર્ક સભા યોજવામાં આવી હતી. સાથોસાથ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ લોકોને તેઓનો મુદ્દા માલ પરત આપવામાં આવ્યો હતો.
ગુજરાત રાજ્યના ડી.જી.પી. દ્રારા વ્યાજખોરોના દુસણને ડામાવા ખાસ ઝુંબેશનુ આયોજન કરાયું છે તે અનવ્યે રાજકોટ રેન્જ ના આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સહેબ ની અધ્યક્ષતા હેઠળ ગઈકાલે તારીખ-૧૯.૦૭.૨૦૨૪ ના રોજ ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવલી શ્રી જી.એમ.પટેલ સ્કુલ-ધ્રોલ ખાતે જિલ્લા કક્ષાનો જન સંપર્ક કાર્યક્ર્મ યોજવામા આવ્યો હતો.
જેમા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક આર.બી.દેવધા સાહેબ , તથા ધ્રોલ સર્કલ પોલીસ ઈન્સપેક્ટર તથા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા સ્કુલના ટ્રસ્ટી અને સ્કુલના આચાર્ય તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થીત રહ્યા હતા.
આ લોકદરબારમા ઉપસ્થીત રહલી તમામ જાહેર જનતાને વ્યાજખોરોના દુસણને ડામાવા અનવ્યે લોકોમા કાયદાકીય જાગ્રુતિ આવે અને આવા ગેરકાયદેસર નાણા ધિરનાર લોકો વિરોધ કાયદેસરની કાર્યવાહી થઇ શકે તે અંગેનુ માર્ગદર્શન આઇ.જી.પી.શ્રી અશોકકુમાર સાહેબ દ્રારા અપાયું હતું.
ઉપરાંત હાજર રહેલા લોકોને અપીલ કરવામા આવેલી કે તેઓના સગા વહાલા મિત્ર કે સંબધીઓ કે જાણીતામા કોઇ પણ વ્યકતિઓ આવા વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા હોય તો તેઓને કોઇ પણ જાતના ડર કે સંકોચ રાખ્યા વગર વ્યાજખોરો વિરૂધ્ધ સ્થાનીક પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવા જણાવ્યું હતું.
ભવીષ્યમાં પણ આવા કોઇ ઇસમો દ્વારા ગેરકાયદેસર નાણા ધીરી ઉચા વ્યાજ દર વસુલ કરવામાં આવતા હોય તો ત્વરીત પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરીયાદ કરવા સમજણ આપવામાં આવી હતી.
તેરા તુજકો અર્પણ યોજના હેઠળ કેટલોક મુદામાલ પરત અપાવ્યો
ત્યારબાદ “તેરા તુજકો અર્પણ કાર્યક્ર્મ યોજ્વામાં આવ્યો હતો. જેમા પોલીસ દ્રારા ફરિયાદીનો રિકવર થયલો તમામ મુદામાલ પરત કરી આપવામા આવ્યો હતો. આ લોકદરબાર આશરે ૪૫૦ જેટલા લોકો હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech