ઝાડને કાપી નાખવાને બદલે તેનાં મૂળને રોકવાનો અનોખો ઉપાય

  • June 10, 2025 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દાયકાઓ જુના વૃક્ષો જ્યારે ઘર કે બિ લ્ડીંગની દિ વાલો કે જમીનને ઉંચકે છે ત્યારે મોટાભાગના લોકો વૃક્ષોનું છેદન કરી નાખતા હોય છે. પરંતુ હવે નવી પધ્ધતીથી વૃક્ષોના મુળીયાનું માવજત કરીને રુટ ગાર્ડની મદદથી આંગણામાં વાવેલા વર્ષો જુના વૃક્ષનું છેદન કર્યા ર્યા વગર આંગણાની દિ વાલ અને જમીન બન્નેની જાળવણી શક્ય છે.

હમણાં જ વિ શ્વ પર્યા ર્યાવરણ દિ વસ ગયો એટલે દરેક જગ્યાએ “વૃક્ષો વાવો”ની ચર્ચા ર્ચા થઈ રહી છે. દરેક અખબારોના અહેવાલ કહે છે તેમ આપણને શ્વાસ લેવા ઓછામાં ઓછા ૨૦ થી ૩૦ ટકા ગ્રીન કવરની આવશ્યકતા છે, પરંતુ તેની સામે રાજકોટ શહેરમાં ૩ થી ૪ ટકા જેટલું જ ગ્રીન કવર છે. રાજકોટ મહાનગર પાલિ કાની બાંધકામ શાખા પણ હર ઘર દીઠ એક વૃક્ષ વાવવાનુ સુચવે છે. જે નવા વૃક્ષો ઉછેરવાની વાતો છે; તે જયારે ૧૫-૨૦ વર્ષે પરિ પકવ થાય ત્યાર બાદ જ તેનો લાભ મળે પરંતુ અત્યારે શહેરમાં જે વૃક્ષો હયાત છે, તેને બચાવવાની કોઇ પહેલ કે વાત કરતુ જ નથી, તે આપણા સૌ રંગીલા રાજકોટીયન્સ માટે ખુબ જ દુ:ખદ બાબત છે.

રાજકોટની પ્રખ્યાત પી. ડી. માલવિ યા કોલેજના ભૂતપૂર્વ ર્વ પ્રાધ્યાપક સ્વ. મહેશભાઈ પંચોલીની સુપુત્રી ઇશિતા પંચોલી, એક ગૌપ્રેમી છે અને પર્યાવરણ જાગૃતિ માટે કોઇ સંસ્થાના બેનર વગર પોતનાથી જે શકય બને તે રીતે સમાજના સકારાત્મક કાર્ય કરવા પ્રયત્નો કરે છે.

ઇશિતા પંચોલી, કાલાવાડ રોડ પર નુતનનગર સોસાયટીમાં રહે છે. નાનપણથી જ પિતા સ્વ. મહેશભાઇ પંચોલી પાસેથી પર્યાવરણ જાળવણી અને જીવદયાના સંસ્કારોના પરિ ણામે નુતન નગર સોસાયટીમાં ૩૦ વર્ષ પહેલા ૭૫ વૃક્ષો વાવ્યા અને ઉછેર્યા હતા, પરંતુ સમય જતા આજે ફકત ૧૦ જેટલા જ એવા વૃક્ષો સોસાયટીમાં બચ્યા છે. સોસાયટીમાં ઘણી જગ્યા એ ૫૦ વર્ષ કરતા વધારે ઉંમરના લીમડા અને બીજી પ્રજાતીના વૃક્ષો હયાત હતા. થોડા સમય પહેલા કોમ્યુનિ ટી હોલ ની પ્રિ માઇસીઝમાં સ્થિત લગભગ ૬૦ વર્ષની ઉંમરના ત્રણ ઘટાટોપ લીમડાના ઝાડને જીઓ ટેગ લગાવીને હેરિટેજ વૃક્ષ નો દરજ્જો આપી શકત પણ હોલનું રિનોવેશન કરવાનું હોવાથી કોર્પો રેશનની પરવાનગીથી બિચારા કપાઈ ગયા. ઇશિતાબેનના પ્રયત્નો કરવા છતા તે તેને બચાવી ન શકયા જે એમને માટે ઘણી દુ:ખની બાબત છે. હકાભાની જેમ, ‘દુઃખની વાત છે પણ કરવી પડસે’. તે સમયથી ઇશિ તાબેન રાજકોટ અને જ્યાં કયાંય પણ વૃક્ષોને બચાવવા માટેની માહિતી મળે તે એકત્રીત કરતા હતા.

પહેલું સુખ તે જાતે નર્યા મુજબ, એમના ઘરની બહાર પણ ૨૭ વર્ષ નો લીમડો છે, તેના મુળીયા મકાનની કમ્પાઉન્ડ વોલને ઉંચકાવી રહ્યા હતા. પરિ ણામે દિ વાલમા તિ રાડ પડવાનો ક્રમ શરુ થયો. ઘણા લોકોનો સંપર્ક ર્ક કરતા ઝાડ કપાવી નાખવાની સલાહ આપી, જે એમના માટે કોઇ પણ સંજોગોમાં સ્વીકાર્ય ન હતું. ઇન્ટરનેટ પર રિસર્ચ પછી રૂટ ગાર્ડ (મૂળ નિ યંત્રણ)ની જાણ થઈ. અમુક મિ લીમીટર જાડાઈવાળુ આ મટીરીયલ જો ઝાડના મુળીયા અને બાંધકામ વચ્ચે મુકી દેવામાં આવે તો મુળીયા તેને ચીરી ન શકવાને કારણે ઇમારતને નુકશાન પહોંચાડતા નથી. તપાસ કરતા એમને માલુમ પડ્ યું કે, દિલ્હીની કે. એમ. ગ્રીન વિ ઝન કંપની છે, જે પેટેન્ટેડ રુટ ગાર્ડ /રુટ બેરીયર મટીરીયલનું વેચાણ કરે છે. ઇશિતાબેને આ બાબતે કંપનીના માલીક કૃષ્ણકાંતભાઇ નો સંપર્ક ર્ક કરી પોતાની વ્યથા જણાવી અને લીમડાને બચાવવા મદદ માંગી. તેમણે એ મટીરીયલ તાત્કાલિ ક ધોરણે મોકલાવી આપ્યું. ઇશિ તાબેને લોકલ કારીગરો સાથે કોર્ડિ નેટ કરી, તારીખ ૩૦/૦૫/૨૦૨૫ના દિ વસે લીમડાના મુળીયા અને ઘરની કમ્પાઉન્ડ વોલ વચ્ચે તેને લગાડી વૃક્ષ બચાવવાના અમુલ્ય કાર્ય ના શ્રી ગણેશ કરી દીધા.

આ રુટ ગાર્ડ ર્ડ/બેરીયર વૃક્ષારોપણ કરતી વખતે અથવા વૃક્ષ નાના હોય ત્યારે લગાડી દઈએ જેથી ભવિ ષ્યમાં તેના મુળ દિ વાલો ને નુકશાન ન પહોંચાડે. પરિ પકવ વૃક્ષના નડતર મૂળ ને કાપી, ચંદન - હળદર - ગુંદરના મિ શ્રણનો લેપ ઝડપથી હિ લ થવામાં મદદરૂપ ફાળો આપે છે, જેથી મૂળ કાપ્યા બાદ તેની વૃદ્ધિ પર નકારાત્મક અસર થાય નહીં. અને ખાસ કરીને ચોમાસાની ઋતુમાં ભયજનક લાગતી ડાળીઓને જરૂર પૂરતી વ્યવસ્થિ ત કાપીને, ઘરની સુંદરતામાં અનન્ય વધારો પણ કરી શકાય.

એમને સૌથી મોટો પ્રશ્ન એ થયો કે આવી જાણકારી શું કોર્પો રેશનના ગાર્ડ ર્ડન શાખાના અધિ કારીઓ પાસે નહીં હોય ? કોઇપણ ઝાડ જો ઇમારતને નુકશાન પહોંચાડે તેમ હોય તો તેને કાપવાની પરવાનગી આપવાને બદલે જો તેઓ લોકોને આ રુટ ગાર્ડ ર્ડ નાખવાનો ઉપાય અજમાવવાની સલાહ આપી શકે તો એક મહા મુલ્ય ધરાવતું ઝાડ બચાવી શકાય. નવા વૃક્ષો ઉગાડવામાં ઉદાસીનતા અને હયાત વૃક્ષોને બચાવવાના પ્રયત્નનો અભાવ આપણા પર્યા ર્યાવરણને બચાવવામાં આપણી નિ ષ્ફળતા છતી કરે છે, તેવું એમનું સ્પષ્ટ માનવું છે.

આ ઉપરાંત ઇન્ટરનેટ પર એમને પરિપકવ વૃક્ષો, જેને રોડ પહોળા કરવા કે અન્ય કોઇ વિ કાસના કામો માટે કાપી નાખવામાં આવે છે, તેને બદલે વટા(vata) ફાઉન્ડેશન તે વૃક્ષોને મુળીયા સહીત અન્ય જગ્યાએ સ્થળાંતરીત કરવાનું કામ કરે છે, તેની જાણ થઈ. વટા ફાઉન્ડેશનની સ્થાપના હૈદરાબાદના શ્રી ઉદયભાઈ કૃષ્ણે ૨૦૧૫ માં જ્યોતિ કોંડા સાથે મળીને કરી હતી. ત્યારથી વટા ફાઉન્ડેશને ભારતના સાત રાજ્યોમાં ૫,૦૦૦ થી વધુ વૃક્ષોનું સ્થણાંતર કર્યું ર્યુંર્યું છે, જેનાથી ૮૫% વૃક્ષો જીવંત રહેવાનો પ્રભાવશાળી દર પ્રાપ્ત થયો છે. આ રીતે વૃક્ષોને વૈજ્ઞાનિ ક પદ્ધતીથી સ્થળાંતરીત કરવા પણ શકય છે. વટા ફાઉન્ડેશનની વેબસાઇટ http://vatafoundation.org મારફત તેમનો સંપર્ક ર્ક કરી જરુરી માહિ તી મેળવી શકો છો. વૃક્ષ સંબંધિ ત માહિ તી માટે ઇશિ તાબેનને માત્ર વોટસએપ +૯૧ ૯૫૩૭૩ ૮૬૩૬૯ પર સંપર્ક ર્ક કરી શકો છો એવું એમને જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News