નાઘેડીના લહેર તળાવમાંથી મહિલાનો મૃતદેહ સાંપડ્યો

  • January 29, 2024 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીકના નાઘેડી ગામ પાસે આવેલા કબીર લહેર તળાવમાંથી એક મહિલાનો મૃતદેહ  મળી આવ્યો હતો .ફાયર સ્ટાફે મૃતદેહને પાણી માંથી બહાર  કાઢીને પોલીસને સુપરત કર્યો છે.
નાઘેડી ગામના સરપંચ સુરેશભાઈ દ્વાર આ ઘટના અંગે ફાયર બ્રિગેડ અને  પોલીસને જાણ કરવામાં આવતા જ ફાયર બ્રિગેડનો સ્ટાફ તાકીદે દોડી ગયો હતો અને અજાણી મહિલાના મૃતદેહને પાણી માંથી બહાર કાઢી કાઢ્યો હતો.અને પોલીસને સુપરત કર્યો હતો. આથી પોલીસે મૃતક મહિલાની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે
***
જામનગરમાં મહિલા અચાનક બેભાન થઇ જતા સારવારમાં દમ તોડ્યો

જામનગરમાં પટેલ કોલોની નજીક નહેરુનગર વિસ્તારમાં રહેતા મહિલા પોતાના ઘરની સામે પટકાઈ પડ્યા હતા, તેઓનું જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે.
મૂળ પશ્ચિમ બંગાળના વતની અને હાલ જામનગરમાં પટેલ કોલોની નજીક નહેરુ નગર વિસ્તારમાં રહેતા સંચિતાબેન સનતભાઈ બીશ્વાસ નામના ૭૫ વર્ષીય બંગાળી વૃદ્ધ મહિલા, પોતાના ઘરની સામે અચાનક બેભાન થઈને પડી જતાં તેઓને બેશુદ્ધ અવસ્થામાં ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા, જયાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.
આ બનાવ અંગે કિશનભાઇ રાધાગોવિંદ ભૌમિકે પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝન પોલીસે જી.જી. હોસ્પિટલમાં પહોંચી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને સમગ્ર બનાવવા બાબતે વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application