રાજકોટ શાપર વેરાવળમાં શાંતિધામમાં રહેતાં ઋત્વીક પ્રકાશભાઇ વાળા (ઉ.વ.૨૩) નો યુવક સાંજે સાતેક વાગ્યે ઉંદર મારવાનું ઝેરી બીસ્કીટ ખાઇ લેતા તબિયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઋત્વીક બે ભાઇમાં મોટો અને કુંવારો છે. અને કારખાનામાં છુટક કામ કરે છે. તેના સગાના કહેવા મુજબ તે બે ત્રણ દિવસથી મગજ ભમતો હોવાનું રટણ કરતો હતો. ગત સાંજે ઘરમાં આવ્યો ત્યારે ઉબકા જેવું થતાં તેની પૂછતાં પોતે ઝેરી બીસ્કીટ ખાઇ ગયાનું કહેતાં સારવાર માટે ખસેડયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં શાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી