ઝેરી દવા પી લેનાર ઘોઘા રોડના યુવાનનું મોત

  • April 25, 2025 05:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના ઘોઘારોડ વિસ્તારમાં રહેતા યુવાનને ઝેરી દવા પીધેલી હાલતે સારવાર માટે સરટી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો. જ્યાં આગળ આજે શુક્રવારે તેનું ચાલુ સારવાર દરમ્યાન મોત નીપજતા મૃતક યુવાનની માતા સહિતના પરિવારજનો દ્વારા યુવાને પોલીસબા ત્રાસથી એલસીબીની કચેરી નજીક ઝેરી દવા પી લીધી હોવાના આક્ષેપ સાથે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાનો નિર્ણય જાહેર કરતા દોડધામ મચી હતી.
ઉપલબ્ધ વિગતો મુજબ શહેરના ઘોઘારોડ વિસ્તારમાં ફાતિમા કોન્વેન્ટ નજીક રહેતા ખુશાલભાઈ ભરતભાઈ માળી (ઉ. વ. ૨૫)ને ઝેરી દવા પીધેલી હાલતે સરટી હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં  ખસેડવામાં  આવ્યો હતો.
ગંભીર હાલતે સારવારમાં રહેલા ખુશાલભાઈ ભરતભાઈ માળીનું આજે સારવાર દરમ્યાન મોત નીપજતા મૃતક ખુશાલભાઈના માતા હર્ષાબેન અને ભાઈ આકાશ સહિતના પરિવારજનોએ ખુશાલભાઈએ પોલીસના ત્રાસથી અને પૈસાની માંગણી કરવામાં આવતા હોવાથી ભાવનગર શહેરની એલસીબીની કચેરી નજીક જ ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હોય જ્યાં સુધી ખુશાલભાઈના મોત પાછળ 
જવાબદારો સામે પગલાં નહીં ભરાઈ તેમજ ખુશાલભાઈના મોત અંગે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ખુશાલભાઈનો મૃતદેહ નહીં સ્વીકારીએ તેવું જણાવતા પોલીસ કાફલો સરટી હોસ્પિટલ દોડી ગયો હતો. અને મૃતક ખુશાલભાઈના પરિવારજનોને સમજાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application