રાણાવાવના એક યુવાને માનસિક બીમારીથી કંટાળીને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઇ છે. રાણાવાવની આસોપાલવ સોસાયટીમાં રહેતા મંજુબેન દુદાભાઇ ભંભાણાએ રાણાવાવ પોલીસમથકમાં એવુ જાહેર કર્યુ છે કે મયુર દુદાભાઇ ભંભાણા ઉ.વ. ૩૮ દોઢેક વર્ષ પહેલા પડી ગયો હતો અને માથાના ભાગે ઇજા થઇ હતી અને માનસિક બીમારીની દવા પણ ચાલુ હતી. તેથી પોતાની બીમારીથી કંટાળીને મયુરે તેના મકાને જ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. આગળની તપાસ રાણાવાવ પોલીસ ચલાવી રહી છે.