સિહોરના જાંબાળા અને દેવગાણા ગામની વચ્ચે આવેલ પાણીની નહેરમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. ઘટનાની જાણ થતા સિહોર પોલીસે દોડી જઈ મૃતદેહનો કબજો લઈ ભાવનગર ખાતે ફોરેન્સિ લેબમાં મોકલી મૃતકની ઓળખવિધિ હાથ ધરતા યુવાન મૂળ રાજસ્થાનનો હોવાનું તેમજ મિસ્ત્રી કામ કરતો હોવાનું ખુલ્યું હતું. હાલ પોલીસે યુવાનના મોતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.
ઉપલબ્ધ વિગત મુજબ સિહોરના દેવગાણા ગામે રાજસ્થાનના રાણદા ગામનો વતની અને છેલ્લા કેટલાક સમયથી દેવગાણા ગામે રહી મિસ્ત્રી કામ કરી પોતાનું ગૂજરાન ચલાવતો અને બે ત્રણ દિવસથી ગુમ થયેલા દિનખાન મુગેખાન નિરાશી (ઉ. વ. ૩૪)નો મૃતદેહ જાંબાળા અને દેવગાણા વચ્ચે આવેલ પાણીની નહેરમાંથી કોહવાયેલી હાલતે મળી આવતા સિહોર પોલીસનો કાફલો ઘટના સ્થળે પોહચી મૃતદેહનો કબજો લઈને ભાવનગર ખાતે મોકલી હાલ અકસ્માટે મોતની નોંધ કરી યુવાનના મોતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી. મૃતક યુવાન જ્યાં કામ કરતો હતો ત્યાંથી તેને છૂટો કરી દેવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યાનું સિહોર પોલીસના જમાદાર ચિરાગભાઈએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech