વેરાવળ-કોડીનાર હાઈવે પર સુંદરપરા ગામ પાસે રાત્રે 11 વાગ્યે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ભગુડા મોગલધામ દર્શન માટે જતી જાત્રાની બસ પલટી મારી જતાં એક યુવકનું મોત નીપજ્યું હતું અને 23 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. વેરાવળના ખારવા સમુદાયના 56 લોકો ધુળેટીના તહેવાર નિમિત્તે દેવ દર્શન માટે નીકળ્યા હતા. અકસ્માતમાં 22 વર્ષીય યોગેશ પ્રભુદાસ ચોરવાડીનું મૃત્યુ થયું હતું. ઈજાગ્રસ્તોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.
વેરાવળ-કોડીનાર હાઈવે પર સુંદરપરા ગામ પાસે અકસ્માત
મળતી માહિતી મુજબ, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ-કોડીનાર હાઈવે પર સુંદરપરા ગામ પાસે એક ગંભીર બસ અકસ્માત થયો. મુસાફરો ભરેલી બસ અચાનક પલટી જતાં એક વ્યક્તિનું દુ:ખદ મૃત્યુ નીપજ્યું, જ્યારે 23 લોકો ઘાયલ થયા.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલ મુસાફરોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનાને કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકજામ સર્જાયો હતો. જો કે અધિકારીઓએ પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી.
ખારવા સમાજમાં શોકની લાગણી છવાઈ
તમામ ઘાયલોને તાત્કાલિક વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ વેરાવળ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હોસ્પિટલ ખાતે લોકોના ટોળા એકત્ર થયા હતા. હોળી-ધુળેટીના તહેવાર દરમિયાન બનેલી આ દુર્ઘટનાને કારણે ખારવા સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech