આમ આદમી પાર્ટીના વિસાવદર પેટા ચૂંટણીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા દ્રારા વિસાવદરના મામલતદાર અને પુરવઠા અધિકારી એક ગંભીર મુદ્દા પર રજૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. નેતા ગોપાલ ઇટાલીયાએ પુરવઠા અધિકારી અને મામલતદારને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આજે જૂનાગઢ જિલ્લ ા સહીત ગુજરાતના લગભગ તમામ જીલ્લ ાઓમાં ખાતરની અછત સર્જાઈ છે. ખેડુતોને યારે યુરિયા, અને ખાતરની ખુબ જ જર છે ત્યારે ખાતરનો પુરતો જથ્થો ન હોવાથી ખેડૂતો પરેશાન છે.
ખેડૂતોની એક સામાન્ય માંગ હોય છે કે સરકાર ખેતી સમય પર ખાતરનો પર્યા જથ્થો ઉપલબ્ધ કરાવે પરંતુ દર વખત ખેડૂતોએ પરેશાન થવાનો વારો આવતો હોય છે. દર વખતે એકની એક સમસ્યા શા માટે ઊભી થાય છે? એક તો ખેડૂતોને વાવેતર સમયે ખાતરની જર પડે છે ત્યારે ખાતર મળતું નથી અને યારે ખાતર મળે છે તો ખેડૂતને જર હોય એટલી પૂરતી માત્રામાં ખાતર મળતું નથી. તેથી ખેડૂતોએ મૂળ કિંમતથી ઉપર વધારે પૈસા આપીને ખાતર લેવું પડે છે. આ સિવાય ખાતરની ખરીદી માટે ખેડૂતો પાસે ખોટી રીતે આધાર કાર્ડની માંગણી કરવામાં આવે છે તેમાં ખાતર અને આધારકાર્ડને શું લેવા દેવા? ગુજરાતમાં દા પર પ્રતિબધં છે તેમ છતાં પણ દાની હોમ ડિલિવરી થતી હોય છે અને બીજી બાજુ ખાતર પર કોઈ પ્રતિબધં નથી તેમ છતાં પણ આજે ખેડૂતોને ખાતર મળતું નથી. આ સિવાય જબરજસ્તીથી નેનો ખાતરની બોટલ આપીને ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે. તો આ તમામ સમસ્યાઓના નિવારણ માટે પુરવઠા અધિકારી સમક્ષ અમારી માંગ છે કે વાવેતર સમયે જરિયાતના પ્રમાણમાં ખાતરનો યોગ્ય પુરવઠો ઉપલબ્ધ કરી રાખવા માટે સંબંધિત વિતરકોને યોગ્ય આદેશ આપવામાં આવે. અમારી બીજી માંગ છે કે ખાતર વિતરણ કેન્દ્ર પર ખાતરની કાળા બજારી ન થાય અથવા કૃત્રિમ અછત ઉભી ન થાય તે માટે કડક સુપરવિઝન રાખવામાં આવે. અમારી વધુ એક માંગ છે કે ખાતરની સાથે જબરદસ્તીથી નેનો ખાતરની બોટલનું વેચાણ કરવામાં ન આવે અને તે માટે લેખિતમાં આદેશ કરવામાં આવે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech