આપના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના બટલા હાઉસ સ્થિત નિવાસસ્થાને ઈડીની ટીમ સર્ચ વોરન્ટના આધારે પહોચી હતી અને દસ્તાવેજોની ચકાસણી હાથ ધરી હતી.
અમાનતુલ્લાએ આ અંગે એક વીડિયો પણ શેર કર્યેા છે. આ વીડિયોમાં તેણે કહ્યું કે આજે સવારે ૭ વાગ્યે ઈડીના લોકો મારા ઘરે છે.તેણે કહ્યું, ઇડીના લોકો સર્ચ વોરંટના નામે મારી ધરપકડ કરવા આવ્યા છે. મારી સાસુને કેન્સર છે અને ૪ દિવસ પહેલા તેનું ઓપરેશન થયું હતું. તેણે એ પણ કહ્યું કે તેણે ઈડીની તમામ નોટિસનો જવાબ આપી દીધો છે અને તેમને એમ પણ કહ્યું કે તેમની સામે ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે.
અમાનતુલ્લા ખાને કહ્યું કે, તેઓ માત્ર મને જ નહીં પરંતુ મારી પાર્ટીને પણ પરેશાન કરી રહ્યા છે. તેમનો ઉદ્દેશ્ય અમને તોડવાનો અને અમને અલગ કરવાનો છે, મને કોર્ટમાં વિશ્વાસ છે કે ભવિષ્યમાં પણ અમને આ જ રીતે ન્યાય મળશે.
પાર્ટીના વરિ નેતા સંજય સિંહે અમાનતુલ્લા ખાનના દાવા પર કહ્યું કે અમાનતુલ્લા ખાન વિદ્ધ કોઈ પુરાવા નથી. પરંતુ મોદીની સરમુખત્યારશાહી અને ઈડીનો ભ્રષ્ટ્રાચાર બંને ચાલુ છે.અત્રે એ જણાવી દઈએ કે છેલ્લા એક વર્ષથી આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ દા કૌભાંડ અથવા સંબંધિત મામલામાં જેલમાં ગયા છે. જેમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલથી લઈને મનીષ સિસોદિયા અને સંજય સિંહ જેવા નેતાઓનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech