હાલ જામનગર મહાનગરપાલિકાના શહેર વિસ્તારની અંદરમાં આવેલ ધાર્મિક સ્થળો (મંદિરો અને મસ્જિદો) માં જામનગર મહાનગરપાલિકા દ્વારા 300 જેવી નોટિસ આપવામાં આવેલ છે જે નોટિસોમાં ઘણી બધી જગ્યામા વર્ષો જૂના મંદિરો અને મસ્જિદો આવેલી છે, જેમાં લોકોની ધાર્મિક ભાવના સાથે જોડાયેલા સ્થળો છે, જે સ્થળોમાં નોટિસ મારી મહાનગરપાલિકાએ જામનગરની ધર્મપ્રેમી જનતાની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી છે.
આમ આદમી પાર્ટી અને જામનગરની ધર્મ પ્રેમી જનતા એનો સખત વિરોધ કરે છે, આપને જણાવવાનું કે આપના તંત્ર દ્વારા આપવામાં આવેલી તમામ નોટિસ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે તથા બધા ધાર્મિક સંસ્થાઓના આગેવાનોને સાથે રાખી વૈકલ્પિક રસ્તો કરવામાં આવે, જો સરકારનો આવા ધાર્મિક સ્થળો તોડી પાડવાનો બદઇરાદો જ હોય તો આનો વિરોધ થશે, અને આની સંપૂર્ણપણે જવાબદારી આપની અને ધર્મ વિરોધી સરકારની રહેશે, જેની ગંભીરતાથી નોંધ લેવી.
જામનગર શહેરની અંદરમાં ઘણી બધી અનઅધિકૃત ઇમારતો આવેલી છે કે, જેમાં તમામ પ્રકારના શરતો અને કાયદાઓને નેવે મૂકી બનાવમાં આવેલ છે, જેની કોઇપણ જાતની મંજૂરી કે રજા ચિઠી મેળવેલ નથી, તો પેલા આ અનઅધિકૃત ઇમારતો તોડી પાડવી જોઈએ, આવી ઇમારતોમા ન તો કોઇપણ પ્રકારના ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરેલું છે, ન કોઇપણ જાતના પાર્કિંગના નિયમોનું પાલન કરેલ છે, ન કોઇપણ જાતની એફ.એસ.આઈ. (માર્જિન)નું પાલન કરેલ છે.
આવી અનઅધિકૃત ઇમારતો તાત્કાલિક ધોરણે તોડી પાડવી જોઈએ અને તમે આવી કેટલી અનઅધિકૃત ઇમારતોને નોટિસ આપી છે...? તે પણ જણાવો, કે પછી આપ રાહ જોઈ રહ્યા છો કે, ભવિષ્યમાં તક્ષશિલા અને ટીઆરબી ગેમઝોન જેવી ઘટનાઓ જામનગરમા બને તેની રાહ જોવો છો...!
આ મુજબ આમ આદમી પાર્ટી દ્વારા કમિશ્નરને આવેદન પત્રમાં જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેરબજારમાં તેજી: સેન્સેક્સ ૮૧૦૦૦ સપાટી કુદાવી ૯૩૫ પોઈન્ટ ઉછળ્યો
May 02, 2025 02:40 PMગણેશ ચતુર્થીએ મંદિરોમાં ભાવિકોએ કરી આરાધના
May 02, 2025 02:38 PMલંડનની યુનિ.માં અડધી ફીમાં પ્રવેશની લાલચમાં યુવાને ૪.૮૦ લાખ ગુમાવ્યા
May 02, 2025 02:34 PMબિલ્ડરના સગીર પુત્રને બંધક બનાવીને લુંટ ચલાવનાર ઘરઘાટી દંપતીને ૭-૭ વર્ષની સજા
May 02, 2025 02:31 PMહિરલબા જાડેજા સ્વસ્થ થતા પોલીસે ફરી હાથ ધરી પૂછપરછ
May 02, 2025 02:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech