ગોઝારા અકસ્માત માટે પંકાયેલા તળાજા ત્રાપજ સુધીનો માર્ગ પર પિતા પુત્રને નડેલા અકસ્માતને લઈ પિતાના મોતને લઈ ગોઝારો બન્યો હતો.
અલંગ પોલીસ પાસે થી મળતી વિગતો મુજબ ત્રાપજ ગામના મિસ્ત્રી ભરતભાઈ ભગવાનભાઈ વાઘેલા (ઉ.વ.૫૫) અને તેના પુત્ર વિશાલભાઈ બંને બાઈક પર સવાર થઈ ને વાડીએ થી ઘર તરફ આવી રહ્યા હતા.આ સમયે પીપાવાવ તરફ થી આવી રહેલ એક કાર સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર પિતા પુત્ર ફંગોળાયા હતા. બંને ને ગંભીર ઈજાઓ થતા તણસા ૧૦૮ દ્વારા ભાવનગર ખસેડવામાં આવેલ.જ્યાં ભરતભાઈ વાઘેલા નું મોત થયું હતું. બનાવની જાણ થતાં અલંગ પોલીસ સ્થળ પર અને ભાવનગર હોસ્પિટલ ખાતે જઈ ને કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ સાથે બનાવ અંગે કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech