આણંદમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચેની અથડામણમાં છ લોકોના મોત થયા છે, જ્યારે આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ, આ લક્ઝરી બસ મહારાષ્ટ્રથી રાજસ્થાન જઈ રહી હતી ત્યારે આણંદ નજીક એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારે 4.30 વાગ્યે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ત્રણ લોકોએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો. તમામ ઇજાગ્રસ્તોને આણંદની અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જ્યારે આ અકસ્માત થયો ત્યારે લક્ઝરી બસ પંચર થઈ ગઈ હતી અને હાઈવેની બાજુમાં ઉભી હતી. પાછળથી આવતી ટ્રકે બસને ટક્કર મારતાં ડ્રાઇવર, ક્લીનર અને મુસાફરો બસની નીચે ઊભા હતા. આ ભયાનક અકસ્માતમાં છ લોકોએ જીવ ગુમાવ્યા હતા. હાઈવે પર અકસ્માતના સમાચાર મળતાની સાથે જ આણંદ ફાયર બ્રિગેડ, એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગ ટીમ અને આણંદ ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મુસાફરોને બચાવીને હોસ્પિટલ લઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી મહારાષ્ટ્ર તરફ લકઝરી બસ જઈ રહી હતી. ત્યારે તેની પાછળ પુર ઝડપે આવી રહેલ ટ્રકનું ટાયર અચાનક ફાટી જતા આગળ જઈ રહેલ લકઝરી બસને પાછળથી ધડાકાભેર ટક્કર મારી હતી. લકઝરી બસને પાછળથી જોરદાર ટક્કર મારતા લકઝરી બસ રોડની સાઈડમાં ડિવાઈડર પર બેઠેલા લોકો પર ફરી વળી હતી.
હાઈવે પરથી પસાર થઈ રહેલા લોકોએ આ અકસ્માત અંગેની જાણ પોલીસ તેમજ ફાયર વિભાગને કરતા ફાયર વિભાગ તેમજ પોલીસ તાત્કાલીક ઘટનાં સ્થળે દોડી આવ્યો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો. પોલીસ દ્વારા તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી ટ્રાફિક ક્લીયર કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાનપર નજીક આઇશર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત
May 02, 2025 02:44 PMમહાપાલિકાને ૧૦% વળતર યોજના દરમ્યાન વેરા પેટે થઈ ા. ૧૦૦.૩૭ કરોડની આવક
May 02, 2025 02:43 PMભાવનગરને વધુ રેલ સુવિધાની ઉપલબ્ધધિ આડે સમસ્યા અંગે ડીઆરયુસીસી કમિટીનું હકારાત્મક વલણ
May 02, 2025 02:40 PMશેરબજારમાં તેજી: સેન્સેક્સ ૮૧૦૦૦ સપાટી કુદાવી ૯૩૫ પોઈન્ટ ઉછળ્યો
May 02, 2025 02:40 PMગણેશ ચતુર્થીએ મંદિરોમાં ભાવિકોએ કરી આરાધના
May 02, 2025 02:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech