કાનપર નજીક આઇશર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત

  • May 02, 2025 02:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના કાનપર ગામ નજીક આઇશર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત નીપજ્યા હતા, જ્યારે એક મહિલાને ગંભીર ઇજા થતા તેને ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
અમરેલી જિલ્લાના બાબરા ગામમાં રહેતા જય જિતેન્દ્રકુમાર બોરસાણિયા અને તેમના પત્ની એકતાબેન અને દાદા ભુપતભાઈ શામજીભાઈ બોરસાણિયા તેમજ જયભાઈના ભાઈ ધ્રુવભાઈ જિતેન્દ્રકુમાર બોરસાણિયા અને તેમના પત્ની દૃષ્ટિબેન ગઈ કાલે બે અલગ અલગ કાર લઈને અમદાવાદથી બાબરા જવા માટે નીકળ્યા હતા. તેઓ વલભીપુરના કાનપર ગામ નજીક પહોંચ્યા હતા ત્યારે કાનપર ગામ પહેલા નાળા ઉપર વલભીપુર તરફથી આવી રહેલ આઇશર ટ્રક નં.જી.જે.૩૪ ટી.૧૭૬૪ અને જયભાઈની કાર નં.જી.જે.૦૬ પી.ડી. ૦૯૨૫ વચ્ચે અકસ્માત થતા કારમાં જઈ રહેલા જયભાઈ,તેમના પત્ની એકતાબેન અને દાદા ભૂપતભાઈને ગંભીર ઇજા થઈ હતી.અકસ્માત સર્જી આઇશર બનાવ સ્થળે મૂકી તેનો ચાલક ફરાર થઈ ગયો હતો.આ ઘટનામાં ઈજાગ્રસ્ત ત્રણેયને સારવાર માટે એમ્બ્યુલન્સ મારફત વલભીપુર દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં ભુપતભાઈનું મોત નિપજ્યું હતું.ઇજાગ્રસ જયભાઈ અને તેમના પત્નીને વધુ સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન જયભાઈનું પણ મોત નીપજતા. પરિવારજનોમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application