અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીનું નિધન થતા રાજ્યમાં શોકનો માહોલ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વિજયભાઈના પાર્થિવદેહને રૂપાણી પરિવારને સોંપવામાં આવ્યો છે. તિંરગાથી લપેટાયેલા પાર્થિવદેહને જોઈને અંજલીબેન રૂપાણી પુત્ર ઋષભને ભેટીને રડી પડ્યા હતા. આ ક્ષણે ગમગીનીભર્યું વાતાવરણ સર્જાયું હતું. પાર્થિવદેહને લઈને રૂપાણી પરિવાર અમદાવાદ એરપોર્ટ જવા રવાનો થયો છે. ત્યાંથી હવાઈમાર્ગે રાજકોટ પહોંચશે.
રાજકોટમાં વિજયભાઈના અંતિમદર્શન માટે તેમના નિવાસસ્થાને તૈયારીઓ ચાલી રહી છે. ગાંધીનગરના સૂત્રોના જણાવ્યા મુજબ બપોરે 2:00 વાગ્યા આસપાસ રાજકોટ હિરાસર એરપોર્ટ ખાતે પહોંચશે. ત્યાંથી મોટર માર્ગે ગ્રીનલેન્ડ ચોકડી થઈ રણછોડદાસજી બાપુના આશ્રમ સંત કબીર રોડ પૂજિત રૂપાણી ટ્રસ્ટ પારેવડી ચોક કૈસરે હિન્દ પુલ સિવિલ હોસ્પિટલ ચૌધરી હાઇસ્કુલ જિલ્લા પંચાયત ચોક કિસાનપરા હનુમાન મઢી ચોક રૈયા રોડ થઈને નિર્મલા કોન્વેન્ટ નજીક આવેલા તેમના નિવાસ્થાને લઈ જવાશે. અંતિમ યાત્રા પહેલા વિજયભાઈના નિવાસ્થાન નજીક આવેલ મહાદેવ મંદિરમાં અંતિમ દર્શન માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech