નીટની પરીક્ષામાં આરકે યુનિવર્સિટીના સેન્ટરમાં મોટું કૌભાંડ થયું છે તેવો આક્ષેપ નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યો છે અને આ સમગ્ર પ્રકરણની તપાસ સીબીઆઈ ને સોંપવાની માંગણી કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ આર કે યુનિવર્સિટીના આ સેન્ટરમાંથી 12 વિદ્યાર્થીઓને 700 થી વધુ માર્ક મળ્યા છે 115 વિદ્યાર્થીઓને 650 થી વધુ માર્ક મળ્યા છે. આ પરિણામથી આર કે યુનિવર્સિટીનું સેન્ટર શંકા ના દાયરામાં આવી ગયું છે અને તેથી તાત્કાલિક તેની તપાસ થવી જોઈએ.
આજરોજ ગુજરાત પ્રદેશ એનએસયુઆઇ દ્વારા ’નીટ’ ની પરિક્ષા માં આર. કે. યુનિવર્સિટીમાં ગેરરીતિ થઈ હોવાના શંકાના દાયરામાં હોય એ મુદ્દે કોટેચા ચોકમાં ગુજરાત પ્રદેશ પ્રમૂખ નરેન્દ્ર સોલંકીની આગેવાનીમાં એનટીએનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું. આર.કે યુનિવર્સિટી સેન્ટરની સીબીઆઇ ઇન્કવાયરી કરવામાં આવે અને એનટીએને પ્રતિબંધિત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી.
પૂતળા દહનના આ કાર્યક્રમમાં રવિભાઈ જીત્યા બ્રીજરાજસિંહ રાણા અંકિત સોંદરવા હીરલબેન ધ્રુમિલ રાઠોડ અક્ષાંશ ગોસ્વામી આર્યન કનેરિયા સમીર ચૌહાણ સહિત 10 વધુ કાર્યકતર્ઓિની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહુવા પોણા સાત ઇંચ સહિત અર્ધા સૌરાષ્ટ્ર કચ્છમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ
May 07, 2025 11:10 AMરાજકોટ યાર્ડમાં વેપારી પેઢી કાચી પડતા અનેકના નાણાં ફસાયા; હરાજી બંધ રહી
May 07, 2025 11:07 AMભારત અમેરિકા પરના ટેરિફને શૂન્ય કરવા તૈયાર: ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો
May 07, 2025 11:06 AMભારત અને બ્રિટન વચ્ચે ઐતિહાસિક મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થયા
May 07, 2025 11:01 AMઆગામી વર્ષોમાં એપલ તેના તમામ મોબાઇલ ફોન ભારતમાં બનાવશે અને ખરીદશે: સિંધિયા
May 07, 2025 10:54 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech