પીએમના આવતીકાલના સુરતના કાર્યક્રમ માટે રાજકોટની ૫૦ અને તા.૮ના નવસારીના કાર્યક્રમ માટે ૧૦૦ સહિત કુલ ૧૫૦ બસની ફાળવણી કરાઇ હોય રાજકોટ એસટી ડિવિઝનમાં બે દિવસમાં કુલ ૪૦૦ જેટલી ટ્રિપ રદ થશે, રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાંથી જામનગર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને ભુજ સહિતના ડિવિઝનમાંથી પણ અનેક બસની ફાળવણી કરાઇ હોય આગામી બે દિવસ દરમિયાન અનેક બસ રૂટ રદ થશે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની ગુજરાતની મુલાકાત દરમિયાન આવતીકાલે તા.૭ના રોજ સુરત અને તા.૮ના રોજ નવસારીમાં કેન્દ્ર સરકારની લખપતિ દીદી યોજના અંતર્ગત એક લાખ મહિલાઓનું સંમેલન યોજાનાર છે. તદઉપરાંત વડાપ્રધાનના વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં મેદની એકત્રિત કરવા ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજકોટ એસટી ડિવિઝનની ૧૫૦ સહિત કુલ ૧૦૦૦ બસ ફાળવવામાં આવી હોય રાજ્ય સ્તરે ૪૦૦૦ જેટલી ટ્રીપ રદ થશે. એકંદરે આગામી બે દિવસમાં અંદાજે ૨૦ ટકા બસોનું સંચાલન બંધ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech