રાજયસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેરના ડાયરેકટર પરિમલભાઇ નથવાણીના સુપુત્ર ચિ. કરણ અને પુત્રવધુ બનેલા દ્વેતાના શુભલગ્ન નિમિત્તે મુંબઇ ખાતે નવદંપતિને સત્કારવા માટે ભવ્ય સમારંભ યોજવામાં આવ્યો હતો તેમાં દેશની, ગુજરાતની અને જામનગરની અનેક દિગ્ગજ હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.
રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશભાઇ અંબાણી અને જામનગરને વનતારા જેવી ભેટ આપનારા રિલાયન્સના એકઝકયુટીવ અનંતભાઇ અંબાણી ખાસ ઉપસ્થિત રહ્યાં હતા અને આશીર્વાદ પાઠવ્યા હતાં.