અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતએ જિલ્લામા ઈ-એફઆઈઆરથી દાખલ થયેલ ગુનાઓના આરોપીઓને પકડી પાડી, નાગરિકોના ચોરાયેલ વાહન, મોબાઇલ ફોન તેમને પાછા મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા જિલ્લા પોલીસને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સાવરકુંડલા ટાઉન અને ગ્રામ્ય વિસ્તારમાં બે અરજદારોના મોબાઈલ ચોરી થયાની ઈ-એફઆઈઆર નોંધાતા અમરેલી એલસીબી પીઆઈ વી. એમ. કોલાદરાની રાહબરી હેઠળ એલસીબી ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ટેક્નિકલ સોર્સની મદદથી એલસીબીની ટીમે મોબાઈલ ચોરી કરનાર કાર્તિક હેમાંશુભાઇ જોષી, (રહે.સાવરકુંડલા, શિવાજીનગર) અને મનસુખ ભીખાભાઇ રાઠોડ (રહે.ગાધકડા, તા.સાવરકુંડલા)ને ઝડપી લઇ ચોરીના બે મોબાઈલ કબ્જે કરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસીઝફાયર નહિ, કાંઇક મોટું થવાનું છે: ટ્રમ્પના નિવેદને દુનિયાનું ટેન્શન વધાર્યું
June 17, 2025 04:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech