પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારો આપવાને લઈ નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્નાર વ્યક્તિઓના નામ સામેલ છે. આ વર્ષે પાંચ હસ્તીઓને પદ્મ વિભૂષણ, 17ને પદ્મ ભૂષણ અને 110ને પદ્મશ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે. કુલ 132 હસ્તીઓને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. આ વર્ષે ગુજરાતમાંથી 5 મહાનુભાવનો પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદ કરાયા છે જેમાં ડો. તેજસ પટેલને પદ્મમ ભૂષણ, તેમજ અન્ય પાંચ મહાનુભાવોને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવશે છે. જેમાં ડો. યઝદી ઇટાલિયા, સાહિત્યકાર ડો. રઘુવીર ચૌધરી, હાસ્યકાર જગદીશ ત્રિવેદી, ડો. દયાલ પરમાર અને સાહિત્યકાર હરિશ નાયકનો સમાવેશ થાય છે.
આ વખતે પદ્મ પુરસ્કારમાં કોઇ ક્રિકેટ ખેલાડીનું નામ સામેલ નથી. બિહારના ભાજપ્ના પૂર્વ સાંસદ અને મશહૂર ચિકિત્સક ડો. સી.પી. ઠાકુરને પદ્મ ભૂષણથી સન્માનિત કરાશે. ફ્રાન્સના નાગરિક પિપરે સિત્યેન ફિલિયોજેટને પદ્મશ્રી અપાયો છે. તેમણે ધી સંસ્કૃત લેંગ્વેજ પુસ્તર લખ્યું છે. આ વખતે ફ્રાન્સના ત્રણ નાગરિકોને પદ્મ સન્માન અપાયું છે.પદ્મ પુરસ્કારો એ ભારત રત્ન પછી સૌથી મહત્વપૂર્ણ સન્માન છે, જે ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે, જે ત્રણ શ્રેણીઓમાં આપવામાં આવે છે. પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી. ભારત સરકાર દ્વારા વર્ષ 1954માં પદ્મ પુરસ્કારની શરૂઆત કરવામાં આવી હતી. વર્ષ 1955માં તેને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ નામ આપવામાં આવ્યું હતું. ત્યારથી આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech