જમ્મૂ કશ્મીરમાં રામબનમાં ભૂસ્ખલન થતા ૫૦ ગુજરાતીઓ ફસાયાની વિગતો સામે આવી છે. જેમાં બનાસકાંઠાના ૨૦ અને ગાંધીનગરના ૩૦ લોકો સામેલ છે. ગઇકાલે બનાસકાંઠા કલેકટરે રામબનના કલેકટરનો સંપર્ક કર્યેા હતો જે બાદ રામબનના કલેકટરે મદદ માટે એક ટીમ મોકલી હતી.
ગુજરાત પોલીસે તાત્કાલિક જમ્મુ–કાશ્મીર પોલીસ કંટ્રોલ મ અને રામબન એસ.એસ.પી. સાથે સંપર્ક કરી પ્રવાસીઓની માહિતી મેળવી હતી.. જેમાં તમામ ગુજરાતી પ્રવાસીઓ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. તેમજ પ્રવાસીઓ માટે જમવા સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું હતું. આર્મી પણ ફસાયેલા ગુજરાતી યાત્રિકોની મદદે આવી છે. આર્મીના જવાનોએ ફસાયેલા યાત્રિકોને ચા–નાસ્તો અને ભોજન કરાવ્યા હતા.
રામબનમાં ફસાયેલા ગુજરાતીઓ પ્રવાસીઓની સલામતીને લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જરી સૂચનાઓ આપી છે. મુખ્યમંત્રી દ્રારા ગૃહ રાય મંત્રી હર્ષ સંઘવીને ગુજરાતના યાત્રિકોની સલામતીને લઇને જરી તમામ પગલા લેવા માટે સૂચન કરાયું છે.
જમ્મુ–શ્રીનગર રોડ પર આવેલા રામબનની આસપાસના દોઢ કિલોમીટરમાં ભારે વરસાદને કારણે થયેલા ધસી ગયેલી ભેખડોને લીધે તેની સીધી અસર એપ્રિલ અને મે મહિનાના શઆતમાં કાશ્મીર પ્રવાસનુ આયોજન કરનારા અનેક પ્રવાસીઓ પર પડી છે.
રવિવારે જમ્મુ–શ્રીનગર રોડ પર ભારે વરસાદને કારણે અનેક ટ્રકો ભેખડો વચ્ચે ફસાતા ઘટના સ્થળે જ ત્રણ જણના મોત નીપયા છે. ભારે વરસાદને કારણે પૂર આવવાથી જમ્મુથી શ્રીનગર જતાં વચ્ચે આવેલા રામબન–બનિહાલ હાઈવે પર ભેખડો ધસી પડતા અનેક ટ્રકો ફસાયા હતા અને કેટલાંક વાહનો ખીણમાં પડા હોવાની માહિતી મળી છે. જેના કારણે આ ટ પર કલાકો સુધી ટ્રાફિક જામ થયો છે. કાશમીર પોલીસે જમ્મુથી આવતા લોકોને તાત્કાલિક ધોરણે પાછા વળવાની સુચના આપી હતી.
હાલમાં શ્રીનગર, ગુલમર્ગ, સોનમર્ગ, પહેલગામમાં રોકાયેલા પાંચેક હજાર પ્રવાસીઓએ બુક કરાવેલી પોતાની ટિકિટોના શિડૂલમાં ફેરફાર કરીને તાત્કાલિક વળતી ફલાઈટ પકડવાનો વારો આવ્યો છે જેના કારણે હાલમાં શ્રીનગર–દિલ્હી, શ્રીનગર–અમદાવાદ, શ્રીનગર–ચંડીગઢ, શ્રીનગર–અમૃતસર અને જમ્મુ જતી લાઈટોના ભાડામાં ડબલ કરતાં વધારે ઉછાળો આવ્યો છે. જો કે અત્યારે હવાઈ માર્ગથી કાશ્મીરની યાત્રા યથાવત છે. પરંતુ વાહન કે ટ્રેન દ્રારા જતાં યાત્રિકોને પોતાની યાત્રા સ્થગિત કરવી પડી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech