ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ફિલ્મ જગતના કલાકારોને ગૃહની કાર્યવાહી નિહાળવા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આમંત્રિત કર્યા હતા જેમાં ઠાકોર સમાજના વિક્રમ ઠાકોરની અવગણાને લઈને રાજકારણ ગરમાયું હતું. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આવતીકાલે
૨૦૦ જેટલા ફિલ્મ કલાકારો અભિનેતા અભિનેત્રી સંગીત વાદકોને ગૃહની કાર્યવાહી નિહાળવા આમંત્રણ આપવામાં આવ્યું છે.આ તમામ કલાકારો વિધાનસભાની પ્રેક્ષક ગેલેરીમાં આવતીકાલે દેખાશે.
આ તમામ કલાકારોને વિધાનસભામાં લઈ આવવાની જવાબદારી ધારાસભ્ય અને અભિનેતા હિતુ કનોડિયા અને ભાજપ સાંસ્કૃતિક સેલના જનક ઠક્કર ને સોંપવામાં આવી છે. તારીખ ૧૦ મી માર્ચના રોજ લોક ગાયકોને વિધાનસભામાં કાર્યવાહીની નીહાળવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું જેમાં ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ નહીં આપવા બદલ વિવાદ છંછેડાયો હતો.
વિક્રમ ઠાકોરે રાય સરકારે ઠાકોર સમાજના કલાકારોને અન્ય સમાજની અવગણના કર્યાનો આક્ષેપ કર્યેા હતો વિક્રમ ઠાકોર સ્પષ્ટ્રતા કરી હતી કે જે કલાકારોને વિધાનસભામાં સન્માનિત કરવામાં આવ્યા છે તેવા બધા જ કલાકારોને યોગ્ય હતા પરંતુ ઠાકોર સમાજના કલાકારો પણ સન્માનની યોગ્ય છે તેમની અવગણના થવી જોઈએ નહીં. ગત વખતે વિધાનસભામાં માત્ર લોક સાહિત્યકારોને આમંત્રણ મળ્યું હતું જેના કારણે અન્ય કલાકારોમાં અસંતોષ જોવા મળ્યો હતો.
આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને વિધાનસભા અધ્યક્ષ દ્રારા આજે ૨૦૦ જેટલા કલાકારો ને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ખાસ નારાજ થયેલા વિક્રમ ઠાકોરને વિધાનસભાની કાર્યવાહી માં હાજરી આપવા જણાવાયું છે.અન્ય કલાકારોને પણ વિધાનસભા અધ્યક્ષ દ્રારા આવકારવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech