પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદને કારણે મૃત્યુ પામેલાઓના પરિવારને સહાયતા

  • June 02, 2025 04:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂન પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદને કારણે મૃત્યું પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારને સહાયતા રાશી અર્પણ કરવામાં આવેલ છે.
છેલ્લા કેટલાક દિવસોથી દેશનાં વિવિધ રાજ્યોમાં અતિભારે વરસાદને કારણે અનેક લોકોનાં મોત નિપજયા છે અને જાનમાલને ભારે નુક્સાન થયું છે. કોઈ રાજ્યમાં વાવાઝોડાની અસર થાય છે તો કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદ થયો છે. દક્ષિણ ભારતમાં પણ વરસાદને કારણે અનેક લોકો બેઘર બન્યા છે. પૂર્વોત્તર ભારતમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૧૯ લોકોનાં મોત નિપજયા છે. વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી રાહત ફંડમાં ૨ લાખ ૫૧ હજારની સહાયતા રાશિ અર્પણ કરેલ છે.
જ્યારે સાવરકુંડલામાં જેસર રોડ પર રહેતા પરિવારના બે બાળકોનાં તળાવમાં ડૂબી જતાં મોત નિપજયા હતા તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂ.૧૫ હજાર લેખે કુલ મળીને રૂ.૩૦ હજારની સહાયતા રાશિ અર્પણ કરેલ છે. પાટણ નજીક શંખેશ્વર ખાતે પણ બે બાળકોનાં તળાવમાં ડૂબી જતાં મોત નિપજયા છે. તેમના પરિવારજનોને રૂ.૩૦ હજારની સહાયતા રાશિ અર્પણ કરેલ છે.
    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application