બગસરામાંના માવજીંજવા ગામે માવતરના ઘરે રહેતી અને સાવરકુંડલાના આંબરડી ગામે કોન્ટ્રાકટ બેઝ પર જ્ઞાન સહાયક તરીકે નોકરી કરતી ધારાબેન સિતાંશુભાઈ પરમાર (ઉ.વ.28)ની પરિણીતાએ મૂળ બગસરાના અમરાપરના અને હાલ રાજકોટ લાભદીપ સોસાયટી ગાંધીગ્રામ શેરી નં.૦૨માં રહેતા પતિ શિતાંશુ અમૃતભાઇ પરમાર, સાસુ રેખાબેન, સસરા અમૃતભાઇ જીવરાજભાઇ પરમાર સામે બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા લગ્ન વર્ષ 2015માં બગસરા રહેતા સિતાંશુ અમૃતભાઈ પરમાર સાથે થયા છે. લગ્ન બાદ સંયુક્ત પરિવારમાં રહેતી હતી. પતિ દારૂ પીવાની ટેવએ ચડી જતા અવાર નવાર નશામાં આવી મારકૂટ કરતા અને અને સાસુ સસરા માણેવધુ હેરાન કરવાના ઈરાદાથી પતિને ચડામણી કરતા હતા. લગ્ન જીવન ચલાવવું હોવાથી હું મૂંગા મોઢે સહન કરતી હતી. ત્રણેક વર્ષ પહેલા અમરપરાનું મકાન વેંચી અમે રાજકોટ રહેવા બધા આવી ગયા હતા. ત્યારે પણ પતિ દારૂ પી ને ઘરે આવી ગાળો બોલતા અને ઘરમાં ફર્નિચર, સોફા સહિતની વસ્તુઓ સળગાવી દીધી હતી. આ બાબતે પતિ સામે ફરિયાદ પણ થઇ હતી. એમ છતાં પતિ સુધરતા નહતા અને દારૂ પી ને મારવા દોડતા અને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. પતિને ઠપકો આપવાના બદલે સાસુ-સસરા મને ધાક ધમકી આપતા અને વધુ કરિયાવરની માગ કરતાં હતાં. હું આંબરડી નોકરી કરતી હોય પતિ ત્યાં આવીને પણ તને શાંતિથી નોકરી નહીં કરવા દઉં કરી ધમકી આપી હતી. આથી હાલ હું મારા માવતરના ઘરે રહું છું.પોલીસે પરિણીતાની ફરિયાદ પરથી રાજકોટ સ્થિત પતિ, સાસુ-સસરા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMજબ્બર વિરોધ થતા કચરાની દરખાસ્ત પેન્ડીંગ રાખતી સ્ટે. કમિટી
May 01, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech